________________
ભાગ ૩
૨૦૫ યાદ કરે છે. એ રીતે તીર્થંકરની પ્રશમરસનિમગ્ન આકૃતિ જાણનારો આરાધક તીર્થંકરનાં નામના ઉચ્ચારણથી તેમની આકૃતિનું ચિંતન કરતો જ હોય છે.
“નામ શબ્દ છે. “આકૃતિ એનો અર્થ છે. અર્થજ્ઞાન વગર માત્ર સૂત્રજ્ઞાન સુપ્ત હોય છે. અર્થજ્ઞાન વગર સૂત્રજ્ઞાન મંત્રાક્ષરોની જેમ ફળ તો આપે છે, પરંતુ વિશિષ્ટઅભીષ્ટ ફળ નથી આપતું. અર્થજ્ઞાનથી આત્માના અધ્યવસાયો શુભ થાય છે, તેથી કર્મનિર્જરા થાય છે. એટલા માટે સૂત્રની સાથે અર્થજ્ઞાન પ્રાપ્ત કરવાની આવશ્યકતા
અદ્ભુત ગુણોની પ્રશંસાનાં સૂત્રો :
નામ અને સ્થાપનાની વાત કરીને હવે લોગસ્સ સૂત્ર'નું સ્વરૂપ બતાવું છું.
ગુણાનુરાગ વગર ગુણપ્રાપ્તિ થઈ શકતી નથી. એથી ગુણપ્રાપ્તિનું મુખ્ય કારણ ‘ગુણાનુરાગ’ છે, એ વાત નિશ્ચિત થાય છે. ગુણાનુરાગ આત્માની ઉન્નતિનું એક સાધારણ કારણ છે, અને જ્યાં ગુણાનુરાગ હોય છે ત્યાં ગુણપ્રશંસા સ્વયમેવ થઈ જાય છે. એવા અદ્ભુત ગુણોની પ્રશંસા કરનાર આ લોગસ્સ સૂત્ર છે. સર્વ ગુણોથી જે શ્રેષ્ઠ હોય તેમનું જ ગુણોત્કીર્તન થાય છે. વિશ્વમાં આવા આત્માઓ માત્ર શ્રી તીર્થકર ભગવંત જ હોય છે.
જગતના સર્વ જીવોના કલ્યાણની કામના કરવી, તેમના હિતની ભાવના રાખવી તેમજ તેમના આત્મકલ્યાણનો સાચો માર્ગ બતાવવો, આ કાર્ય વિરલ વિભૂતિ જ . કરી શકે છે. આવા વિરલ મહાપુરુષ માત્ર તીર્થંકર પરમાત્મા જ હોય છે. આ લોગસ્સ સૂત્રમાં અરિહંત પરમાત્માઓનું ગુણોત્કીર્તન કરવામાં આવ્યું છે. લોગસ્સ સૂત્રનો સંક્ષિપ્ત પરિચય :
આ ચતુર્વિશતિ-સ્તવ સાત ગાથાઓનું છે. પહેલી ગાથા સિલોગ છંદમાં છે. બીજી, ત્રીજી અને ચોથી ગાથા ગાહા છંદમાં છે. પાંચ, છ અને સાત ગાથાઓ પણ ગાહા' છંદમાં છે.
પ્રથમ ગાથામાં તીર્થંકર ભગવંતનાં ચાર વિશેષણો આપવામાં આવ્યાં છે. વિડ્રિન્ન પદથી નામ-સ્મરણની પ્રતિજ્ઞાનો નિર્દેશ મળે છે.
બીજી-ત્રીજી-ચોથી ગાથાઓમાં વર્તમાન ચોવીશીના તીર્થંકરોનાં નામ આપવામાં આવ્યાં છે, અને તેમને ભાવવંદના કરવામાં આવી છે.
ભાવવંદનાનાં લક્ષણો સમજવાં જોઈએ. મુખ્ય પાંચ લક્ષણો બતાવવામાં આવ્યાં છે ? ૧. નામ-સ્મરણની ક્રિયામાં સતત ઉપયોગ, લક્ષ્ય, સાવધાની જઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org