SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ શ્રાવકજીવન નામ-સ્મરણનો આ પ્રભાવ માણસ ત્યારે જ જાણી શકે છે કે જ્યારે અર્થના ઉપયોગની સાથે તેમજ ગુણાનુરાગ સહિત નામ-સ્મરણ થતું હોય ! ઉપયોગ વગર અને ભાવ વગ૨નું નામ-સ્મરણ અભીષ્ટ ફળ નથી આપતું. સામાન્ય, સાધારણ જ ફળ મળે છે. ૨૪ જિનોની સ્તવના કેમ ? : હવે એક પ્રશ્નનું સમાધાન કરવાનું છે, પહેલા પ્રશ્ન સમજો. પ્રશ્ન ઃ એક તીર્થંકરમાં જે શ્રેષ્ઠ અને ઉત્તમોત્તમ ગુણોનો સમૂહ હોય છે, તે ૨૪ તીર્થંકરોમાં હોય છે. તો પછી એક તીર્થંકરની પૂજા-સ્તવના ક૨વાથી સર્વ તીર્થંકરોની પૂજા-સ્તવના થઈ જાય છે ! તો પછી ૨૪ તીર્થંકરોનાં નામ દઈને સ્તવના શા માટે કરવી જોઈએ ? સમાધાન : પૃથક્ પૃથક્ ૨૪ તીર્થંકરો ગુણોમાં સમાન છે, સર્વ એક સમાન સ્તુતિને પાત્ર છે. તો પણ તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ભિન્ન છે. એટલા માટે ભિન્નભિન્ન નામ લઈને સ્તવના કરવામાં આવી છે. પ્રત્યેક તીર્થંકરનું નામ લઈને સ્તવન કરવાથી જે અનુપમ ઉલ્લાસ તેમજ ભવ્ય ભાવના પેદા થાય છે, તેનાથી પ્રગાઢ કર્મોની નિર્જરા થાય છે. આ વાત શાસ્ત્રસિદ્ધ તો છે જ, અનુભવસિદ્ધ પણ છે. ‘નામ-નિક્ષેપ’ની ધારણાથી જ આ પરિણામ સંભવિત છે. નામ અને રૂપનો વિશિષ્ટ સંબંધ : શ્રી તીર્થંકર ભગવંતોનાં નામ હૃદયમાં સ્થિર થઈ જવાં જોઈએ. નામ સ્થિર થતાં આરાધક આત્માને પરમાત્મા પોતાની આંખોની સામે દેખાય છે ! પરમાત્મા હૃદયમાં પ્રવેશ કરતા હોય, મધુર આલાપ કરતા હોય, અંગ-અંગમાં તેમની ઉપસ્થિતિનો અનુભવ થતો હોય, તન્મય થવાનો અનુભવ થાય છે. આ પ્રકારના અનુભવોથી સકળ કલ્યાણ સિદ્ધ થાય છે. પ્રતિમાશતક ગ્રંથમાં કહેવામાં આવ્યું છે ઃ 'हृदयस्थिते सति भगवान् पुर इव परिस्फुरति ॥ પરમાત્મા હૃદયમાં આવતાં - જાણે કે સામે જ ઊભા હોય, એવો ભાસ થાય છે. નામ અને રૂપનો એવો વિશિષ્ટ સંબંધ છે. નામના ઉચ્ચારણની સાથે જ નામની ઉપસ્થિતિનો અનુભવ થાય છે. નામાભ્યાસની પ્રગતિનું મહત્ત્વપૂર્ણ અને અસંદિગ્ધ લક્ષણ છે. ‘અગ્નિ ઉષ્ણ હોય છે' એવો અગ્નિનો ગુણ જાણનારો ‘અગ્નિ' શબ્દના ઉચ્ચારણની સાથે જ જાણે ઉષ્ણતા ગુણનું સ્મરણ કરે છે અથવા અગ્નિના આકારને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy