________________
ભાગ ૩
અંતરાય-વિઘ્ન દૂર થઈ જાય છે.
‘શ્રી ભક્તામર સ્તોત્રમાં કહેવામાં આવ્યું છે
त्वत् संस्तवेन भवसतिसन्निबद्धं । पाप क्षणात् क्षयमुपैति शरीरभाजाम् ॥
શરીરધારી જીવોની ભવપરંપરામાં બાંધેલાં પાપ તારી સ્તવનાથી ક્ષણમાં નષ્ટ થઈ જાય છે.
એટલું જ નહીં ‘શ્રી રાયપસેણઇય' સૂત્રમાં કહ્યું છે કે ઃ
'तं फलं खलु देवाणुप्पियाणं तहास्वाणं अरहंताणं नाम गोयस्य वि सवणयाए ।'
૨૦૩
અર્હત્ ભગવંતોનું નામશ્રવણ પણ મહાફળદાયી હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અરહંત ભગવંતોનાં નામના સ્મરણથી સર્વ દુઃખો દૂર થઈ જાય છે, અને સર્વ સુખ-સાધન સ્વતઃ પ્રાપ્ત થઈ જાય છે; એટલું જ નહીં, જો શ્રી તીર્થંકર ભગવંતનાં નામના એક જ પદને સંપૂર્ણ રૂપથી જાણી લેવામાં આવે તો આત્મા સ્વયં તીર્થંકર બની જાય છે. આ વાત જિનસહસ્રનામ' નામના ગ્રંથમાં કહેવામાં આવી છે. एतेषामेकमप्यर्हन्नाम्नामुच्चारयन्नद्यैः ।
मुच्यते किं पुनः सर्वाप्यर्थज्ञस्तु जिनायते ॥ १४३॥
તીર્થંકર પરમાત્માનાં નામ-સ્મરણથી સમ્યગ્દષ્ટિ આત્માની અસ્વસ્થતા દૂર થઈ જાય છે. કોઈ વાર તીવ્ર નિકાચિત કર્મના ઉદયથી અસ્વસ્થતા દૂર ન પણ થાય, છતાં પણ દુઃખમાં ધૈર્ય રાખવાની વૃત્તિ પેદા થાય છે. પ્રજ્ઞા વિશેષ રૂપથી પ્રતિભાશાળી બને છે.
નામસ્મરણ એટલું ગુણસંપન્ન અને કલ્યાણકારી છે, એટલા માટે તેને ભક્તિનું એક પ્રધાન અંગ માનવામાં આવે છે. 'દ્વાત્રિંશમ્ દ્વાત્રિંશિષ્ઠા' માં કહેવામાં આવ્યું છે કે - ભક્તિમાવતી ટ્વીનું પરમાનન્દ્રસમ્પલમ્ । ભાગવતી ભક્તિ પરમાનંદ અને સંપદાઓનું બીજ છે.
નામસ્મરણ સર્વ શ્રેણીના સાધકો માટે વિશેષ ઉપયોગી તેમજ આત્મદર્શન
કરાવનારું છે. પરંતુ આરાધક-સાધકના હૃદયમાં અરિહંત પરમાત્માનાં ‘નામ‘પ્રત્યે અનન્ય શ્રદ્ધા ઉત્પન્ન થવી જોઈએ. અંતરંગ પ્રીતિ-પ્રતીતિ જાગ્રત હોવી જોઈએ. ‘બોધિ’ની વિશુદ્ધિમાં નામ-સ્મરણ શ્રેષ્ઠ નિમિત્ત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org