________________
ભાગ ૩
૨.
૩.
૪.
૫.
૬.
૭.
૮.
૯.
નમસ્કાર - પ્રણામ કરું છું.
ચૌદપૂર્વી, ન્યૂનપૂર્વી આચાર્યોને નમન કરું છું. વાચક વૃષભ આચાર્યોને તેમજ અગિયાર અંગના ધારક આચાર્યોને નમસ્કાર કરું છું. આચારધારક તેમજ સકલ પ્રવચનધારક તથા જ્ઞાનધા૨ક આચાર્યોને હું નમન કરું છું.
જ્ઞાનાચા૨ના ધારક, દર્શન તેમજ ચારિત્રના વિશુદ્ધ ભાવવાળા તપ અને વીર્યના ધારક તથા મહાધીર આચાર્યોને નમન કરું છું.
૧૯૭
પોતાની શક્તિથી દેદીપ્યમાન જિનવચનોને જેઓ વારંવાર પ્રકાશિત કરે છે, એ વચનોને શોભાયમાન કરનારા આચાર્યોને હું નમન કરું છું. પ્રવચનનો સાર સમુદ્રસમાન અંગ-ઉપાંગમાં રહેલો છે, એ સારને આપણા જેવા અલ્પ બુદ્ધિવાળા કેવી રીતે જાણી શકે ? આચાર્યોની પરંપરાએ તેને આપણા સુધી પહોંચાડ્યો. જો આચાર્ય ન હોત તો આ પ્રવચનસાર કોણ જાણી શકત ?
બુદ્ધિરૂપી સ્નેહ (તેલ)થી યુક્ત અને આગમરૂપી જ્યોતિવાળા આચાર્ય દીપક સમાન છે. દીપકના સહારે જ જગતના જીવો જોઈ શકે છે. ચારિત્ર્ય અને શીલ જેમનાં કિરણો છે, જેઓ અજ્ઞાન-અંધકારનો નાશ કરે છે, એવા ચંદ્રસમાન આચાર્યો છે. કુમુદ જેવા ભવ્ય જીવોને વિકસિત (પ્રબુદ્ધ) કરે છે.
સૂર્ય સમાન ઉદ્યોતક, કલ્પવૃક્ષ સમાન વાંછિત ફળના આપનારા અને ચિંતામણિની જેમ સુખ આપનારા જંગમ તીર્થસ્વરૂપ આચાર્યને હું નમન કરું છું.
૧૦. આચાર્યને કરેલા નમસ્કાર ત્રણ શલ્યોને મટાડે છે. માનવીય તેમજ દૈવી સુખ આપે છે અને અક્ષય ફળ પ્રદાન કરે છે.
૧૧. ભિન્નભિન્ન પ્રકારની લબ્ધિઓથી સમૃદ્ધ, શ્રુતજ્ઞાનરૂપ સાગરના પારગામી, મુક્તિગામી એવા સર્વ ગણધરોને હું નમન કરું છું.
આ રીતે આચાર્ય ભગવંતની સ્તવના કરી. હવે ઉપાધ્યાય ભગવંતને વંદન
કરીશું.
ઉપાધ્યાય ભગવંતને વંદનાઃ
उवज्झायाणं च णमो संगोवंगं सुयं धरेंताणं सिस्स - गण - हियट्ठाए झरमाणाणं तयं चेय ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org