________________
૧૯૬
શ્રાવકજીવન લિંગથી સિદ્ધ થયા છે! જેઓ તીર્થંકર સિદ્ધ તેમજ સામાન્ય કેવલી સિદ્ધ થયા છે; સ્ત્રીલિંગથી, પુરૂષલિંગથી તેમજ નપુંસકલિંગથી સિદ્ધ થયા છે, પ્રત્યેક બુદ્ધ સિદ્ધ, બુદ્ધબોધિત સિદ્ધ તેમજ સ્વયંબુદ્ધ સિદ્ધ થયા છે, જેઓ બેઠા બેઠા સિદ્ધ થયા છે, અને ઊભા ઊભા કાઉસ્સગ્નમાં સિદ્ધ થયા છે, જેઓ સૂતા સૂતા સિદ્ધ થયા છે, અને જેઓ પડખે સૂતા સિદ્ધ થયા છે -
એ સર્વેને હું ત્રિવિધ વંદન કરું છું. ૪. રાત્રિના સમયે, દિવસના સમયે, સંધ્યાના સમયે, મધ્યાહુનના સમયે અથવા
સવારના સમયે જેઓ સિદ્ધ થયા છે, એ સર્વેને હું ભાવપૂર્વક વંદન કરું છું. ૫. જેઓ યૌવનમાં સિદ્ધ થયા છે, બાલ્યકાળમાં સિદ્ધ થયા છે, વૃદ્ધાવસ્થામાં
સિદ્ધ થયા છે, જેઓ આધેડ વયમાં સિદ્ધ થયા છે, જેઓ દ્વીપ પર યા સમુદ્રમાં સિદ્ધ થયા છે - એ સર્વેને હું ત્રિકાળવંદન કરું છું. જેમનું દેવોએ અપહરણ કર્યું હોય અને સિદ્ધ થયા હોય, જેઓ સમુદ્રમાં સિદ્ધ થયા હોય, જેઓ પર્વત ઉપર સિદ્ધ થયા હોય અને જેઓ ભાવ સિદ્ધ થયો હોય એ સર્વેને હું ત્રિવિધ કરણથી વંદન કરું છું. કોઈ પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં જેઓ સિદ્ધ થયા છે, તે સર્વે સિદ્ધોને હું ત્રિવિધયોગથી વંદન કરું છું. મૃત્યુસમયે જો સિદ્ધોને નમન થઈ જાય તો સદ્ગતિ યા મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે. નિસંગભાવથી સિદ્ધોને નમસ્કાર કરવામાં આવે, તો દુર્ગતિનો માર્ગ બંધ થઈ જાય છે અને સદ્ગતિનો માર્ગ ખૂલી જાય છે. હું સર્વ-આદરથી સિદ્ધોને નમસ્કાર કરું છું, જેથી મોહજાળ તોડીને હું મુક્તિ પામી શકું. જેમણે ધ્યાનાગ્નિ દ્વારા કર્મરૂપ બંધનને બાળીને ભવભ્રમણ મટાડી દીધું છે, અને જ્યાંથી પાછા સંસારમાં આવવાનું નથી થતું, એવું સ્થાન પ્રાપ્ત કર્યું છે એ સિદ્ધ ભગવંતોનો સદાકાળ જય થાઓ. આ રીતે સિદ્ધ ભગવંતોની સ્તવના કરીને હવે ત્રીજા પરમેષ્ઠી આચાર્ય ભગવંતની સ્તવના કરું છું. આચાર્ય ભગવંતની સ્તવના :
पणमामि गणहराणं जिण-वयणं जेहिं सुत्तं-बन्धेणं । बंधेऊण तह कयं पत्तं, अम्हारिसा जाव ।। જેમણે જિનેશ્વરનાં વચનોને સૂત્રબંધથી એવાં બાંધ્યાં કે જે વચનો આપણા જેવા જીવોની પાસે આવ્યાં; એ ગણધરોને (આચાર્ય ભગવંતોને) હું
૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org