________________
ભાગ ૩
૧૯૫
૨૬. હે સર્વજ્ઞ ! હે મહાયશ, હે અદ્વિતીય જ્ઞાનદિવાકર, જગન્નાથ ! આપનો જય થાઓ. આપ જ મોક્ષમાર્ગના નાયક છો. ભવસાગરમાંથી પાર ઉતા૨ના૨ નાયક છો.
જે દુઃસહ
મહાદરિદ્રતાથી
૨૭. જે પ્રિયતમાના વિરહાગ્નિના તાપથી સંતપ્ત છે, દુઃખી છે, જેના સર્વ ધન-વૈભવ નષ્ટ થઈ ગયા છે, તેમને હે જિનેશ્વર ! આપની આજ્ઞા સિવાય અન્ય કોણ શરણ હોઈ શકે ?
૨૮. દરિદ્રતારૂપ કાદવથી, શંકારૂપ કલંકથી તેમજ કર્મમલથી ઉત્પન્ન કાલિમાથી દુઃખી થતા જીવોની રક્ષા હે ભગવંત ! આપ જ કરી શકો છો.
૨૯. દુર્જાય, મોહરૂપ મહાગજેન્દ્રનું વિદારણ ક૨વામાં સિંહ સમાન, વિષમ કર્મવનને બાળવામાં પ્રચંડ અગ્નિ સમાન હૈ જિનેશ્વર ! આપનો જય થાઓ. ૩૦. હે જિનેશ્વર દેવ ! ક્રોધરૂપી અગ્નિને શાન્ત કરવા માટે આપ વિવેકજળથી પરિપૂર્ણ શ્રેષ્ઠ પુષ્કરાવર્ત મેઘ છો ! માનરૂપી ઊંચા પર્વતને તોડવા માટે આપ વજ છો. માયારૂપ રોષયુક્ત મહાનાગણીને વશ કરવા માટે નાગમણિ છો. લોભરૂપ મહારાક્ષસને હણવામાં આપ સિદ્ધમંત્ર છો !
૩૧. હે ભગવંત ! આપ જ મારા નાથ છો, આપ જ શરણ્ય છો, આપ જ માતાપિતા તેમજ ભ્રાતા છો. જિનેશ્વર દેવ, આપે જ મને શાશ્વત સુખનો માર્ગ બતાવ્યો છે.
આ રીતે અરિહંત પરમાત્માની સ્તવના કરવી જોઈએ. સમય કાઢીને પ્રતિદિન સ્તવન કરતા રહો ! ભાવવિભોર બનીને સ્તવન કરો. હવે સિદ્ધ પરમાત્માની સ્તવના કરીએ.
સિદ્ધ ભગવંતની સ્તવના :
૨.
૩.
सिद्धाण णमोक्कारो करेमु भावेण कम्म- सुद्धा । भव - सय सहस्स - बद्धं धंतं कम्मिंधणं जेहिं ॥ લાખો ભવોમાં બંધાયેલાં કર્મબંધોને જેમણે સળગાવી દીધાં છે અને જેઓ કર્મમલથી મુક્ત બન્યા છે, એ સિદ્ધોને અમે ભાવથી નમસ્કાર કરીએ છીએ. જેઓ કર્મક્ષય કરીને વર્તમાન કાળમાં સિદ્ધ થાય છે, ભૂતકાળમાં સિદ્ધ થયા છે અને ભવિષ્યકાળમાં સિદ્ધ થશે, એ સર્વેને મન-વચન અને કાયાથી હું નમસ્કાર કરું છું.
જેઓ તીર્થીસદ્ધ થયા છે, અતીર્થીસદ્ધ થયા છે, એક સિદ્ધ તેમજ અનેક સિદ્ધ થયા છે, સ્વલિંગથી તેમજ ગૃહસ્થ લિંગથી સિદ્ધ થયા છે, જેઓ અન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org