________________
૧૯૮
૧.
૨.
૩.
૪.
૫.
૬.
૭.
૧.
૨.
શ્રાવકજીવન
અંગ-ઉપાંગ-શાસ્ત્રોને ધારણ કરનારા અને શિષ્ય સમુદાયના હિત ખાતર સ્મરણ ક૨ના૨ા ઉપાધ્યાયોને હું નમસ્કાર કરું છું.
૩.
જેવી રીતે પર્વતમાંથી સતત ઝરણું વહેતું રહે છે, એ રીતે ઉપાધ્યાયમાંથી સતત સ્વાધ્યાયનું ઝરણું વહેતું રહે છે. શાસ્ત્રોનું અધ્યયન કરાવનારા ઉપાધ્યાયોને ૫૨મભાવથી નમસ્કાર કરું છું.
જેઓ શુદ્ધ લેશ્યાવાળા હોય છે, જેઓ કર્મક્ષય માટે સૂત્ર ભણાવે છે, અને ભણાવવામાં પોતાનાં કષ્ટની ચિંતા કરતા નથી; એ ઉપાધ્યાયોને હું નમન કરું છું.
શ્રુતજ્ઞાનનો અભ્યાસ કરવો, યાદ કરવું, ભણવું, ભણાવવું, એમાં જ તલ્લીન અને ઉપકાર કરવાના સ્વભાવવાળા ઉપાધ્યાય ભગવંતોને હું વંદન કરું છું. આ રીતે ઉપાધ્યાય ભગવંતની સ્તવના કરી, હવે પાંચમા પરમેષ્ઠી સાધુ ભગવંતની સ્તવના કરું છું.
સાધુ ભગવંતની વંદના :
જેમની પાસે જ્ઞાન અને દર્શનની સમૃદ્ધિ છે, જેઓ અનેક ભવ્ય જીવોને પ્રતિબોધ કરાવનારાં સૂત્રોનું અધ્યયન-અધ્યાપન કરાવે છે, એ ઉપાધ્યાયોને હું નમસ્કાર કરું છું.
ઉપાધ્યાયોને કરેલા નમસ્કાર બોધિલાભ કરાવે છે. એટલા માટે મુનિજનોને જ્ઞાન આપનારા ઉપાધ્યાયોને હું નમસ્કાર કરું છું.
ઉપાધ્યાયોને કરેલા નમસ્કાર સર્વ સુખોનું મૂળ છે, સર્વ દુઃખોનો નાશ કરનાર છે, અને જીવોને મોક્ષમાં લઈ જનાર છે. એટલા માટે હું ઉપાધ્યાયોને નમસ્કાર કરું છું.
साहूण णमोक्कारं करेमि तिविहेण करण - जोएण जेण भव-लक्ख-बद्धं खणेण पावं विणासेसि ||
મન-વચન-કાયાથી હું સાધુઓને નમસ્કાર કરું છું. જેથી લાખો ભવોમાં બાંધેલું પાપકર્મ ક્ષણમાત્રમાં નષ્ટ કરી શકું.
મિથ્યાત્વનો નાશ કરીને સમ્યકત્વને પામનારા ત્રણ ગુપ્તિથી રક્ષિત, કર્મરૂપ કાષ્ઠને કાપવામાં કરવત સમાન મુનિઓને હું પ્રણામ કરું છું.
પાંચ સમિતિના પાલક, ત્રણ શલ્યોના દળનારા, વિકથાઓથી સર્વથા મુક્ત, મદ-મોહથી રહિત, શુદ્ધ લેશ્યાવાળા, કષાયરહિત, જીવહિતકારી, ધીર, ષર્જીનિકાયની રક્ષામાં તત્પર, એવા મુનિવરોને હું વંદન કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org