SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શ્રાવકજીવન સભામાંથી : નિવૃત્ત પુરુષોની ભાવના એવા પ્રકારનું ભોજન કરવાની હોવી જોઈએ ને ? મોટા ભાગના નિવૃત્ત પુરુષો આવાં ધર્મકાર્યોમાં રસ નથી લેતા. મહારાજશ્રી ઃ ભાવના તો મુખ્ય તત્ત્વ છે. સાનુકૂળ સંજોગ મળતાં જો તમને ભાવના ન થાય, તો મનુષ્ય સાનુકૂળ સંજોગોનો લાભ ન લઈ શકે. ધર્મકાર્ય ક૨વાની શક્તિ હોવા છતાં જો ભાવના ન થાય, તો માણસ ધર્મકાર્ય નથી કરી શકતો. આવા લોકોને પ્રત્યક્ષ જોઈએ છીએ. પ્રાચીન ઋષિ-મુનિઓએ કહ્યું છે કે ‘ભોજન કરતી વેળાએ તમારું મન શાંત હોવું જોઈએ.’ રહે છે તમારું મન શાંત ? ના. વ્યગ્રતા, ઉગ્રતા અને ક્લેશ-સંતાપ સ્વાભાવિક બની ગયા છે ને ? તમને કદાચ આ પસંદ પણ નહીં હોય, પરંતુ આ વ્યગ્રતા વગેરેથી બચવાનો તમારો સંકલ્પ પણ નથી ને ? જો સંકલ્પ હોત તો ઉપાય શોધતા હોત. ‘ભોજન કરતી વખતે મારે શાન્તિ જોઈએ. મન શાન્ત જોઈએ. વાણી પણ શાન્ત જોઈએ અને બીજાં સાથે વ્યવહાર પણ મધુર જોઈએ.’ આવો સંકલ્પ હોવો જરૂરી છે. જો તમે લોકો એવો સંકલ્પ કરીને ભોજન પૂર્વે જિનપૂજા ક૨વાની શરૂ કરો, સાધુપુરુષોને ભિક્ષા આપવાની શરૂ કરો અને ઓછામાં ઓછા એક સાધર્મિકને પણ આદરસહિત ભોજન કરાવવાનું શરૂ કરી દો તો તમારો સંકલ્પ પૂર્ણ થશે. ભોજન કરતી વખતે તમને શાન્તિનો અનુભવ થશે. ત્રણ કર્તવ્યોનું પાલન આનંદથી કરો : પરંતુ જિનપૂજા કરતી વખતે તમારું ચિત્ત આનંદિત, શરીર રોમાંચિત અને વાણી સ્નેહસિંચિત હોવી જોઈએ. ‘ભોજનનો સમય થઈ ગયો છે. જલદી જલદી પૂજા કરી લઉં, ભોજન કરીને મારે જલદી બહાર જવું છે.' આ રીતે પૂજા કરવાથી શાન્તિ મળી શકતી નથી. પરમાત્મા પ્રત્યે આન્તપ્રીતિ જોઈએ. પ્રીતિથી પૂજા થવી જોઈએ. પૂજા સમયે ‘ભોજન’ યાદ ન કરવું જોઈએ. પૂજા કરતી વખતે મારે સાધુમુનિરાજોને ભિક્ષા માટે બોલાવવા જવાનું છે,' એની પણ સ્મૃતિ ન થવી જોઈએ. “મારે એક સાધર્મિકને ભોજન માટે નિમંત્રણ આપવાનું છે.' એ વાત પણ વિચારવાની નથી. સિવાય પરમાત્મા, બીજો કોઈ વિચાર કરવાનો નથી. સભામાંથી ; અમને તો મંદિરમાં પણ અશુભ વિચારો આવે છે ! મહારાજશ્રી અશુભ વિચારો રોકવાના ઉપાયો કર્યા? પરમાત્મા સિવાય બીજા શુભ વિચારો પણ કરવાના નથી, તો પછી અશુભ વિચારો કેવી રીતે કરો છો ? કહો છો ‘આવી જાય છે,’ તો રોકવાના ઉપાયો ક૨વા જોઈએ. ઘરમાં કૂતરું આવી જાય છે તો રોકો છો ને ? એ રીતે અશુભ વિચારોને પણ રોકવાના ઉપાય કરો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy