________________
શ્રાવકજીવન
૧૯૨
૮. સોમ ચક્ર (મસ્તકમાં)
આઠમું છે સોમ ચક્ર. એ અર્ધચંદ્રની આકૃતિ જેવું છે. તેમાં 1 લિ આ ૩ સ ર એ મંત્રની સ્થાપના છે. ચંદ્ર જેવા સફેદ વર્ણનું ધ્યાન કરવાથી મોક્ષનો હેતુ બને છે.
૯. બ્રહ્મબિંદુ ચક્ર (બ્રહ્મધારે)
નવમું છે બ્રહ્મબિંદુ ચક્ર. આ ચક્ર બ્રહ્મનાડી એટલે કે સુષુણ્ણા નાડીની સાથે સંયુક્ત છે. તેમાં પ્રણવ (ૐ)ની સ્થાપના કરીને ધ્યાન કરવામાં આવે છે. ૧૦. હંસનાદ ચક્રઃ (બ્રહ્મધારની ઉપર)
દશમું છે હંસનાદ ચક્ર. આ ચક્ર અત્યંત શુદ્ધ સ્ફટિક રત્ન જેવું હોય છે. હંસ એટલે જીવ. ક્ષીણ વૃત્તિ યોગીપુરુષ આત્માનું ધ્યાન કરે છે, તેને સર્વ સિદ્ધિઓ વશીભૂત થાય છે. યોગશાસ્ત્રમાં પણ કહ્યું છે કે
__अर्हन्तं मूर्ध्नि ध्यायेत् शुद्धस्फटिकनिर्मलम् । એટલે કે શુદ્ધ સ્ફટિક જેવા નિર્મળ અરિહંતનું મસ્તક ઉપર ધ્યાન કરવું જોઈએ.
આ તમામ પ્રક્રિયા ધ્યાનની છે. પોતાના જ શરીરના ભિન્નભિન્ન ભાગોમાં મનને કેન્દ્રિત કરીને પરમ તત્ત્વોનું ધ્યાન કરવાનું છે. કેટલી સરસ પ્રક્રિયા છે! અને શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો પ્રભાવ ધ્યાનથી ફલિત થાય છે.
મન ખૂબ ચંચળ છે. મનને પંચ પરમેષ્ઠી ભગવંતોના ધ્યાનમાં જોડવા માટે પહેલાં પંચ પરમેષ્ઠી ભગવંતોની સ્તવનામાં જોડવું જોઈએ. સભામાંથી પંચ પરમેષ્ઠી ભગવંતોની સ્તવના કેવી રીતે કરવી જોઈએ?
મહારાજશ્રી આજે હું તમને કુવલયમાલા' ગ્રંથનાં માધ્યમથી પંચ પરમેષ્ઠી ભગવંતોની સ્તવના કરીને બતાવું છું. કુવલયમાલા” ગ્રંથમાં બતાવવામાં આવ્યું છે કે મહારથ નામના મુનિ, જ્યારે તેમને ખબર પડી કે મારું આયુષ્ય પૂર્ણ થવા આવ્યું છે', ત્યારે તેમણે ગુરુદેવની પાસે પાપોની આલોચના કરી, સર્વ પાપસ્થાનકોનું પ્રતિક્રમણ કર્યું અને શરીર તેમજ કષાયોની સંલેખના કરી, પોતાનાં સર્વ કર્તવ્યોને પૂર્ણ કરીને સંસ્તારકમાં બેઠા અને સમાધિ મૃત્યુની પ્રતીક્ષા કરતાં શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોની સ્તવના કરવા લાગ્યાં. અરિહંત ભગવંતની સ્તવના :
एस करेमि पणामं अरहताणं विसुद्धं कम्माणं । सव्वातिसय-समग्गा अरहंता मंगलं मज्झ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org