SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકજીવન મથુરામાં ‘ડિક’ નામનો ચોર પણ રહેતો હતો. દ૨૨ોજ મથુરામાં ચોરી કરતો હતો. એક દિવસે નગરક્ષકોએ એને પકડી લીધો. તેને રાજાની પાસે લઈ જવામાં આવ્યો. રાજાએ એને ફાંસીની સજા કરી. પરંતુ જ્યારે એને નગર બહાર ફાંસીએ લટકાવવા લઈ જતા હતા ત્યારે તેની પાછળ ગુપ્તચર મૂકવામાં આવ્યા હતા કે આ ચોરના કોણ-કોણ સાથીદારો છે ? ૧૮૮ ચો૨ને રસ્તામાં ખૂબ તરસ લાગી. તેણે આસપાસ જોયું, ત્યાં જિનદત્ત ઊભો હતો. ચોરે એને કહ્યું : “જિનદત્ત, તું દયાવાન છે, મને અતિશય તરસ લાગી છે; પાણી વગર હું મરી જઈશ.' જિનદત્તે કહ્યું : ‘હું તને પાણી લાવી આપું છું, પરંતુ જ્યાં સુધી હું પાણી લઈને ન આવું ત્યાં સુધી તું નમસ્કાર મહામંત્રનો જાપ કરજે. હું તને નમસ્કાર મહામંત્ર આપું છું. જો તેં જાપ નહીં કર્યો હોય તો તને હું પાણી નહીં આપું.’ ચોરને મંત્ર આપીને જિનદત્ત પાણી લેવા ગયો. આ બાજુ નગ૨૨ક્ષકો ચોરને લઈને ફાંસીની જગ્યાએ લઈ ગયા. આ બાજુ જેવો એને ફાંસીએ લટકાવ્યો, તેવો જ જિનદત્ત પાણી લઈને ત્યાં પહોંચ્યો. ‘હવે હું તને પાણી પાઉં છું.' બોલતો જિનદત્ત તેની પાસે પહોંચ્યો જ હતો કે પેલો ચોર ‘નમો અરિહંતાણં' બોલીને મરણ પામ્યો. મરીને તે ચોર વ્યંતરયોનિમાં યક્ષદેવ બન્યો. નગ૨૨ક્ષકોએ જિનદત્તને પકડી લીધો અને તેને રાજાની સમક્ષ લઈ ગયા. તેમણે રાજાને કહ્યું : “આ હૂંડિક ચોરનો સાથી છે. તે ચોરને પાણી પાવા આવ્યો હતો.’ રાજા જિનદત્ત ઉપર રોષે ભરાયો. તેણે આજ્ઞા કરી, આ શેઠને પણ ફાંસીએ લટકાવી દો.’ સૈનિકો જિનદત્તને ફાંસી આપવા ફાંસીની જગ્યાએ લઈ ગયા. એ સમયે હુંડિક યક્ષે ‘અવધિજ્ઞાન’ના પ્રકાશમાં જોયું કે તે દેવ કેવી રીતે બન્યો ?’ તેણે મથુરામાં જોયું. જિનદત્તને ફાંસી આપવાની તૈયારી કરતા રાજપુરુષોને જોયા. જિનદત્ત પ્રત્યે યક્ષને પૂર્ણ પ્રીતિ હતી. તેણે પર્વતની એક વિશાળ શિલા ઉપાડી અને મથુરાના બાહ્ય પ્રદેશમાં જઈ ચડ્યો. તેણે રાજસૈનિકોને કહ્યું : “હે દુષ્ટો, શું તમે આ મહાશ્રાવકને નથી ઓળખતા ? તેની ક્ષમા માગો, એને છોડી દો, નહીંતર આ શિલાથી તમને બધાને મારી નાખીશ !' રાજસૈનિકો ખૂબ ગભરાઈ ગયાં. જિનદત્તને છોડી દીધો. રાજાએ પૂર્વીદેશામાં હૂંડિક યક્ષનું મંદિર બનાવ્યું. આ નમસ્કાર મહામંત્રના પારલૌકિક ફળનું દૃષ્ટાંત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy