________________
૧૮૪
શ્રાવકજીવન
ઉત્તર ઃ સાધુ વિષમ સુખથી દૂર રહેનારા હોય છે. નિર્મળ ચારિત્ર એમનો નિયમ હોય છે અને ગુણપ્રાપ્તિ તેમજ આત્મકાર્યમાં સદૈવ ઉદ્યમશીલ હોય છે. એટલા માટે એમને વંદન કરવામાં આવે છે.
* મોક્ષમાર્ગની આરાધનામાં જેઓ અસહાય હોય છે, તેને સાધુ સહાયક બને છે, એટલા માટે તેમને વંદન કરવામાં આવે છે. પારમાર્થિક સાધનાની પ્રવૃત્તિમાં જગત જ્યારે અસહાય હોય છે, ત્યારે અસહાય જીવને સંયમ-પાલનમાં સાધુ સહાય કરે છે. એટલા માટે તેઓ વંદનીય છે.
* સાધુને કરેલા ભાવ નમસ્કાર જીવને સંસાર-ભ્રમણમાંથી મુક્ત કરાવે છે અને સમ્યકત્વ પ્રદાન કરે છે.
* પોતાના હૃદયમાં સાધુને નમસ્કાર કરનારનું દુર્ધ્યાન દૂર થાય છે. વારંવાર નમસ્કાર કરવામાં આવે છે.
મૃત્યુ વખતે * સાધુને કરવામાં આવેલા નમસ્કાર સર્વ પાપોનો નાશ કરે છે અને સર્વ મંગલોમાં આ પાંચમું મંગલ છે.
આ રીતે ‘વસ્તુ’ નાં માધ્યમથી નમસ્કાર મહામંત્રના પંચ પરમેષ્ઠી ભગવંતોનો ભાવાર્થ બતાવ્યો. પુનઃપુનઃ ચિંતન કરવા જેવી બાબત છે.
૭. આક્ષેપ ઃ ૮. પ્રસિદ્ધિ ઃ
:
નમસ્કાર મહામંત્રને વિશેષ રૂપથી સમજવા માટે જે શંકાઓ કરવામાં આવે છે, તેને ‘આક્ષેપ’ કહે છે. આક્ષેપ એટલે શંકા. આ શંકાઓનું સમાધાન આઠમા ‘પ્રસિદ્ધિ’ દ્વારમાં કરવામાં આવ્યું છે
શંકા : નમસ્કાર સંક્ષિપ્ત નથી તેમજ વિસ્તૃત નથી. જો સંક્ષિપ્ત હોત તો માત્ર સિદ્ધો અને સાધુઓને જ નમસ્કાર કરવામાં આવત. વિસ્તારથી નમસ્કાર હોત તો અનેક પ્રકારે હોત ! પંચવિધ નમસ્કાર યોગ્ય નથી લાગતો ! આ નમસ્કાર મંત્ર સામયિક સૂત્રની જેમ સંક્ષિપ્ત નથી. એ રીતે ૧૪ પૂર્વેની જેમ વિસ્તૃત નથી. આ બંને કરતાં નમસ્કાર મંત્રનું સૂત્ર ભિન્ન છે !
સમાધાન ઃ નમસ્કાર સૂત્ર સંક્ષિપ્ત જ છે, પરંતુ સંક્ષિપ્ત અર્થ તમે જે કર્યો તે નથી કે સિદ્ધોને અને સાધુઓને જ નમસ્કાર કરવા ! કારણ કે અરિહંત વગેરે અવશ્ય સાધુ છે, પરંતુ સર્વ સાધુ અરિહંત નથી !
અરિહંત વગેરે અવશ્ય સાધુ છે. કારણ કે તેમનામાં સાધુના ગુણોનો સદ્ભાવ છે, પરંતુ સર્વ સાધુ અરિહંત વગેરે નથી. કેટલાક સાધુઓ અરિહંત હોય છે, કેટલાક ઉપાધ્યાય.....અને કેટલાક સાધુઓ હોય છે. એ સર્વે અરિહંત નથી હોતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org