SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૩ ૧૮૩ આચાર્ય : * પાંચ પ્રકારના આચારોનું પાલન કરનારા, ઉપદેશ આપનારા અને આચારોને બતાવનારા હોવાથી આચાર્ય કહેવાય છે. પાંચ પ્રકારના આચારોનાં નામ છેઃ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તમાચાર અને વીચાર. * આચાયોને કરવામાં આવેલા ભાવ નમસ્કાર હજારો ભવોથી મુક્તિ અપાવે છે, સમ્યકત્વ પ્રાપ્ત કરાવે છે. દૂધ્યનિનો નાશ કરાવે છે. મૃત્યુ વખતે પુનઃપુનઃ આચાર્યને નમસ્કાર કરવામાં આવે છે. * આચાર્યને કરવામાં આવેલા નમસ્કાર સર્વ પાપોનો નાશ કરનાર અને સર્વ મંગલોમાં આ ત્રીજું મંગલ છે. ઉપાધ્યાય : ચોથી વસ્તુ છે ઉપાધ્યાય. જેની પાસે આવીને સાધુગણ ધાર્મિક સૂત્રોનો અભ્યાસ કરે છે, તે ઉપાધ્યાય કહેવાય છે. * તીર્થંકર પરમાત્મા દ્વારા પ્રરૂપિત દ્વાદશાંગી (આચારાંગથી દૃષ્ટિવાદ પર્વત સૂત્રો)ને ગણધર આદિ મહાપુરુષો સ્વાધ્યાય કહે છે. ઉપાધ્યાય આવા સ્વાધ્યાયનો ઉપદેશ આપે છે. * ઉપાધ્યાયનો બીજો અર્થ પણ બતાવવામાં આવ્યો છે. “હ” એટલે ઉપયોગ કરવો અને “જઝા' એટલે ધ્યાન કરવું. ઉપયોગપૂર્વક જેઓ ધ્યાન કરે છે તેઓ ઉજઝા' કહેવાય છે. ઉજઝા એટલે ઉપાધ્યાય ! * આવા ઉપાધ્યાયોને ભાવપૂર્વક કરવામાં આવેલા નમસ્કાર જીવને હજારો ભવોમાંથી મુક્ત કરાવે છે, અને સમ્યકત્વ આપે છે. જે મુમુક્ષુ આત્મા પોતાના દયમાં ઉપાધ્યાયને નમસ્કાર કરે છે, તેનું દુબનિ દૂર થઈ જાય છે. મૃત્યુ સમયે વારંવાર નમસ્કાર કરવામાં આવે છે. ઉપાધ્યાયને કરવામાં આવેલા નમસ્કાર સર્વ પાપોનો નાશ કરનાર છે. આ સર્વ મંગલોમાં ચોથું મંગલ છે. સાધુ: હવે પાંચમી વસ્તુ “સાધુનો ભાવાર્થ બતાવું છું. જેઓ ઇચ્છિત અર્થને સાધે છે તે સાધુ કહેવાય છે. સાધુ નિવણસાધક છે. સમ્યગદર્શનાદિ યોગોની સાધના કરે છે, અનુષ્ઠાનો કરે છે અને સર્વ જીવો પ્રત્યે સમભાવી હોય છે. પ્રશ્ન : સાધુઓમાં કયું તપ, નિયમ તેમજ સંયમનો ગુણ હોય છે કે જેને કારણે તેઓ વંદનીય બને છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy