________________
૧૮૨
શ્રાવકજીવન
પ્રસ્તુતમાં આપણે કર્મક્ષયસિદ્ધ'ની વાત કરવી છે. જેમણે કર્મના સર્વ અંશોનો નાશ કર્યો છે તે અકર્મક્ષયસિદ્ધ' કહેવાય છે. * ધ્યાનરૂપ અગ્નિથી આઠ પ્રકારના કર્મ ભસ્મીભૂત કરીને સિદ્ધને સિદ્ધત્વ પ્રાપ્ત
થાય છે. * સિદ્ધ ભગવંતોના આત્માઓ લોકાકાશના અગ્રભાગ પર પ્રતિષ્ઠિત છે. ત્યાં
પ્રતિષ્ઠિત આત્માઓ સંસારમાં પાછા ફરતા નથી. * એ સિદ્ધભૂમિનું નામ “ઈષ પ્રાગુભારા છે. બીજો ભાગ “સીતા” છે. એનાથી
એક યોજન દૂર લોકનો અંતભાગ છે. અનુત્તર દેવલોકના સવથિસિદ્ધ વિમાનથી “બાર યોજન દૂર તે સિદ્ધભૂમિ આવેલી છે. * તે સિદ્ધભૂમિ નિર્મળ જળબિંદુ સમાન છે. હિમ જેવા વર્ષની છે. અથવા ગાયના
દૂધ જેવા રંગની છે. * એ સિદ્ધભૂમિના એક ક્ષેત્રમાં અનંત સિદ્ધ રહે છે. * સિદ્ધ અશરીરી હોય છે. આત્મપ્રદેશ ઘન થયેલા હોય છે, તેઓ જ્ઞાન અને દર્શનમાં ઉપયુક્ત બનેલા હોય છે.
તેઓ સાકાર તેમજ નિરાકાર ઉપયોગવાળા હોય છે. સિદ્ધ ભગવંતોનું જે સુખ હોય છે તેવું સુખ ન તો મનુષ્યોનું હોય છે, ન તો સર્વ દેવોનું હોય છે ! એવું સુખ ચક્રવર્તી રાજાને પણ નથી હોતું. કોઈ દેવને પણ એવું સુખ હોતું નથી. સિદ્ધોને કોઈ પણ પ્રકારની પીડા પણ થતી નથી. * સિદ્ધોનું સુખવિશિષ્ટ આલાદરૂપ હોય છે. આ આહ્વાદ અત્યંત, ઉપમાતીત,
એકાન્ત, ઉત્સુકતારહિત તેમજ સ્થિર હોય છે. * તે સિદ્ધ ભગવંતો દુઃખરહિત, જન્મ-જરા-મૃત્યુરહિત હોય છે. શાશ્વતું તેમજ
અવ્યાબાધ સુખનો તેઓ અનુભવ કરે છે. * સિદ્ધોને કરેલો ભાવ નમસ્કાર હજારો ભવોથી મુક્તિ અપાવે છે અને બોધિ
બીજને આત્મભૂમિમાં વાવી દે છે. * ભવક્ષય કરવાની ઈચ્છાવાળો મનુષ્ય પોતાના દ્ધયમાં સિદ્ધને નમસ્કાર કરતો
રહે છે. દુધ્ધનથી મુક્ત થાય છે અને ધર્મધ્યાનમાં લીન બને છે. * મૃત્યુના સમયે નિરંતર...પુનઃ પુનઃ સિદ્ધોને નમસ્કાર કરવા જોઈએ.
આ રીતે બીજી વસ્તુ સિદ્ધનું વર્ણન કર્યું. હવે ત્રીજી વસ્તુ “આચાર્ય નું વર્ણન કરું છું. તમે એકાગ્રચિત્તથી સાંભળજો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org