________________
ભાગ ૩
દે છે, તેઓ ‘અરિહંત' કહેવાય છે.
* ચોથી પરિભાષા આ પ્રકારની છે : વંદન તેમજ નમસ્કારને જે યોગ્ય છે, પૂજા અને સત્કા૨ને જે યોગ્ય છે, અને જે મુક્તિ પામવા યોગ્ય છે તે ‘અરિહંત’ કહેવાય છે.
૧૮૧
* પાંચમી પરિભાષા આ પ્રકારની છે ઃ જેમાં જીવ સ્થિરભાવ પામે છે તે સિદ્ધિ કહેવાય છે. તે સિદ્ધિ લોકાગ્ર પર સ્થિત છે. ત્યાં જનારાઓ અરિહંત' કહેવાય છે. એટલે કે એવી યોગ્યતા ધારણ કરનારાઓને ‘અરિહંત’ કહે છે. * છઠ્ઠી પરિભાષા સાંભળી લો : જે દેવ, મનુષ્ય તેમજ અસુર દ્વારા પૂજાય છે, જેઓ રાગદ્વેષાદિ શત્રુઓને હણી નાખે છે, અને કર્મરૂપી મેલનો નાશ કરે છે, તેઓ ‘અરિહંત’ કહેવાય છે.
નમસ્કારનો પ્રભાવ ઃ
પરિભાષાઓ જણાવ્યા પછી અરિહંત નમસ્કારનો પ્રભાવ બતાવું છું :
અરિહંતને ભાવપૂર્વક કરવામાં આવેલા નમસ્કાર જીવને હજારો ભવોના પરિભ્રમણથી મુક્ત કરે છે અને આત્મભૂમિમાં બોધિબીજ વાવી દે છે.
ભવક્ષયની ઇચ્છાવાળો મનુષ્ય જો પોતાના હ્રદયમાં નમસ્કાર કરે છે, તેના દુર્ધ્યાનનું નિવારણ અવશ્ય થઈ જાય છે. તે ધર્મધ્યાનમાં લીન રહે છે.
જે રીતે અગ્નિનો ભય ઉત્પન્ન થતાં બધું જ છોડીને મનુષ્ય મૂલ્યવાન રત્નો જ બચાવવા પ્રયત્ન કરે છે, એ રીતે મૃત્યુના સમયે બાર અંગોનું અધ્યયન છોડીને ‘અરિહંત’ને જ નમસ્કાર કરવામાં આવે છે. એટલા માટે આ નમસ્કારમાં બાર અંગોનો સમાવેશ થઈ જાય છે. નમસ્કાર બાર અંગોનો સાર છે.
અરિહંતને કરેલો નમસ્કાર સર્વ પાપોનો નાશ કરનારો છે, અને સર્વ મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ છે.
પાંચ ‘વસ્તુ’માં પ્રથમ વસ્તુ ‘અરિહંત’નું વર્ણન પૂર્ણ કર્યું; હવે બીજી વસ્તુ ‘સિદ્ધ’નું વર્ણન કરું છું.
સિદ્ધઃ
સામાન્ય રીતે સિદ્ધ ૧૪ પ્રકારના બતાવવામાં આવ્યાં છે ઃ ૧. નામસિદ્ધ, ૨. સ્થાપનાસિદ્ઘ, ૩. દ્રવ્યસિદ્ધ, ૪. કર્મસિદ્ધ, ૫. શિલ્પસિદ્ધ, ૬. વિદ્યાસિદ્ધ, ૭. મર્મસિદ્ધ, ૮. યોગસિદ્ધ, ૯ આગમસિદ્ધ, ૧૦. અર્થસિદ્ધ, ૧૧. યાત્રાસિદ્ધ, ૧૨, અભિપ્રાયસિદ્ધ, ૧૩, તપસિદ્ધ, ૧૪. કર્મક્ષયસિદ્ધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org