________________
ભાગ ૩
નમસ્કારના પાંચ હેતુ બતાવવામાં આવ્યા છે
૧. મોક્ષમાર્ગ, ૨, અવિનાશિતા, ૩. આચાર, ૪. વિનય અને ૫. સહાયતા. મોક્ષમાર્ગનો ઉપદેશ આપવાથી અરિહંત મોક્ષના હેતુ છે. કારણ કે મોક્ષમાર્ગ એમને આધીન છે. તેઓ જ મોક્ષમાર્ગના ઉપદેશકો છે. સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ મોક્ષમાર્ગ અરિહંત જ બતાવે છે. એટલા માટે તેઓ નમસ્કરણીય છે. પૂજ્ય છે.
સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ મોક્ષમાર્ગની આરાધનાનાં ફળસ્વરૂપ જે ‘સિદ્ધ’ બન્યા છે, મોક્ષ પામી ચૂક્યા છે, તેઓ કૃતાર્થ છે. એટલા માટે તેઓ પૂજ્ય છે. તેઓ ગુણમય છે માટે પૂજ્ય છે. જો સિદ્ધ ભગવંત ન હોત તો મોક્ષમાં આત્મા અવિનાશી હોય છે', એવું આપણે વિચારી ન શકત. “મોક્ષ અવિનાશી છે - મોક્ષમાં સર્વ સિદ્ધ ભગવંત અવિનાશી છે.’ એવું જે જ્ઞાન થાય છે, તે જ સિદ્ધોનો ઉપકાર
છે.
બીજી વાત એ છે કે ‘આપણને જે અભીષ્ટ છે તે મોક્ષનો જ્ઞાનાદિ સન્માર્ગ છે.’ એવો નિશ્ચય સિદ્ધોને કારણે જ થાય છે. મોક્ષ અવિનાશી છે’ - એ બોધને કારણે ‘સમ્યગ્દર્શન આદિ સન્માર્ગ છે,' એવો વિશ્વાસ મુમુક્ષુ જીવોને થાય છે. જો સિદ્ધ ન હોત તો આ વિશ્વાસ કેવી રીતે થાત ? ત્રીજી વાત એ છે કે સિદ્ધ અવિનાશી હોય છે અને એમનું સુખ અનંત - અનુપમ હોય છે,’ આ વાત જાણવાથી મોક્ષમાર્ગમાં પ્રીતિ થાય છે. મોક્ષમાર્ગમાં પ્રીતિ થવી એ કોઈ નાની વાત નથી. આ સિદ્ધ ભગવંતોનો ઉપકાર છે.
હવે નિશ્ચયનય અને વ્યવહારનયની અપેક્ષાએ આ વાત બતાવું છું.
નિશ્ચયનયથી આત્મા જ મોક્ષમાર્ગ છે; અને મોક્ષમાર્ગની રુચિસ્વરૂપ સમકત્વ પણ આત્મા જ છે !
-
૧૭૯
-
વ્યવહારનયથી જે પ્રકારે અરિહંત મોક્ષમાર્ગના ઉપદેશક હોવાથી ઉપકારી છે, એ રીતે ક્ષીણસંસારી સિદ્ધ ભગવંતો પણ અવિનાશીતાને કારણે ઉપકારી મનાયા
છે.
આચાર્ય ભગવંત આચારોનો ઉપદેશ આપે છે, એ કારણે તેઓ પ૨મોપકારી છે, માટે તેઓ પૂજ્ય છે.
-
ઉપાધ્યાય ભગવંત સૂત્રપાઠ આપે છે અને શિષ્યોને વિનીત બનાવે છે, એટલા માટે પૂજ્ય છે.
સાધુ ભગવંત આચારવાન તેમજ વિનયવાન હોય છે. તેઓ મોક્ષમાર્ગની આરાધનામાં બીજાને મદદ કરે છે, એટલે તેઓ પૂજ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org