________________
પ્રવચન ઃ ૩
પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ ધર્મબંદુ' ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનની દિનચર્યા બતાવતાં કહ્યું છે ઃ સમાાતિ-ચિન્તનમ્ ॥૮॥
तथा --
નમસ્કાર મહામંત્ર આદિનું ચિંતન કરવું જોઈએ. આ મહત્ત્વપૂર્ણ વાત કરી છે ગ્રંથકારે. તમે ગૃહસ્થ છો છતાં પણ શ્રાવક છો, તો તમારે તત્ત્વચિંતન કરવું જ જોઈએ. તત્ત્વચિંતન તમે ત્યારે જ કરી શકશો જ્યારે તમારી પાસે તત્ત્વજ્ઞાન હશે. જ્ઞાની પુરુષ-સદ્ગુરુ પાસેથી તમે તત્ત્વજ્ઞાન પામ્યા હશો તો જ તમારી પાસે તત્ત્વજ્ઞાન હશે.
તમે તત્ત્વજ્ઞાની બનો એ ભાવનાથી ‘શ્રી નમસ્કાર નિયુક્તિ' ગ્રંથનાં માધ્યમથી શ્રી નમસ્કાર મહામંત્રને વિસ્તારપૂર્વક સમજાવવા પ્રયત્ન કરું છું. તમે લોકો સમજવા પ્રયત્ન કરો. જે વાત તમે નથી સમજ્યા તે પ્રવચન પછી યોગ્ય સમયે આવીને સમજી શકશો.
હવે આપણે કાલે જ્યાંથી વિષય અપૂર્ણ રાખ્યો હતો, ત્યાંથી આગળ વધીએ છીએ. કાલે પ્રરૂપણા' સુધીનાં પ દ્વારોનું વિવેચન કર્યું હતું; આજે ૬ થી ૧૧ દ્વારોનું વિવેચન કરવાની ભાવના છે. જો કદાચ કેટલાંક દ્વારો બાકી રહી જશે તો કાલે એમનું વિવેચન કરીશ.
૬. વસ્તુ ઃ
વસ્તુદ્વારથી એ વિચારવાનું છે કે નમસ્કારને યોગ્ય પૂજ્ય કોણ છે ?'
અનંત ગુણોના નિધાન-સ્વરૂપ અરિહંત આદિ પંચ પરમેષ્ઠી જ ‘વસ્તુ’ છે. એટલે કે નમસ્કરણીય, પૂજ્ય છે. નમસ્કરણીય વસ્તુ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે. તેઓ ગુણમય હોવાથી મૂર્તિમંત ગુણ જેવા જ છે. એટલા માટે જે ગુણાર્થી ભવ્ય જીવ છે એમને માટે પૂજ્ય છે. મોક્ષાર્થી ભવ્ય જીવો માટે આ પાંચ પરમેષ્ઠી મોક્ષનો હેતુ છે. એટલા માટે પૂજ્ય છે.
અરિહંત આદિ પંચ પરમેષ્ઠી મોક્ષમાર્ગના હેતુ કઈ રીતે છે એ બતાવતાં ‘નમસ્કાર નિયુક્તિમાં કહેવાયું છે કે :
मग्गो अविप्पणासो आयारो विजयया सहायत्तं । पंचविह नमुक्कारं करेमि एएहिं हेऊहिं ॥ १७ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org