________________
ભાગ ૩
૧૭૭ બીજો પ્રકાર છે દ્રવ્યપ્રમાણ નો. દ્રવ્યપ્રમાણ એટલે સંખ્યા. નમસ્કારને પૂર્વપ્રતિપન્ન જીવ જઘન્યથી સૂક્ષ્મ ક્ષેત્ર - પલ્યોપમના અસંખ્યાતમા ભાગના પ્રદેશરાશિ પ્રમાણ હોય છે. ઉત્કૃષ્ટથી વધારે. - ત્રીજો પ્રકાર છે ક્ષેત્રનો. નમસ્કારપ્રાપ્ત જીવ ઊર્ધ્વલોકમાં અનુત્તર દેવલોકમાં જતી વખતે સાતભાગ પ્રમાણ લોકાકાશમાં હોય છે. અધોલોકમાં છઠ્ઠી નરકમાં જતી વખતે પાંચભાગ પ્રમાણ લોકાકાશમાં હોય છે.
ચોથો પ્રકાર છે સ્પર્શના ક્ષેત્ર અને સ્પર્શનામાં થોડુંક અંતર છે. ક્ષેત્રના વિષયમાં માત્ર આધારભૂત આકાશ જ લેવામાં આવે છે અને સ્પર્શનામાં આધાર ક્ષેત્રની ચારે બાજનો આકાશપ્રદેશ લેવામાં આવે છે. જેને સ્પર્શીને આધેય રહેલું ટકેલું છે. નમસ્કાર પ્રાપ્ત જીવની સ્પર્શના ક્ષેત્રની માફક જ સમજવી.
પાંચમો પ્રકાર છે કાળનો. નમસ્કારનો કાળ બે પ્રકારનો છે: ૧. ઉપયોગ કાળ ૨. લબ્ધિકાળ.
૧. ઉપયોગની અપેક્ષાથી નમસ્કારનો કાળ અંતમુહૂર્તનો છે.
૨. લબ્ધિની અપેક્ષાએ નમસ્કારની જઘન્ય સ્થિતિ અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ સાગરોપમ કરતાં કંઈક વધારે છે.
છઠ્ઠો પ્રકાર છે “અંતરનો. અંતર એટલે વિરહકાળ. એક જીવની અપેક્ષાથી વિરહકાળ હોય છે. વિવિધ - અનેક જીવોની અપેક્ષાથી અંતર નથી હોતું. એક જીવની અપેક્ષા નમસ્કારનું અંતર જઘન્યથી અન્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અર્ધપગલપરાવતમાં કંઈક ન્યૂન જેવો અનંતકાળ હોય છે. પુદ્ગલપરાવર્તકાળ” અધ્યયનનો વિષય છે. અવશ્ય અધ્યયન કરવું જોઈએ.
સાતમો પ્રકાર છે “ભાગનો. જે જીવ નમસ્કાર નથી પામ્યા. તે જીવો નમસ્કાર પ્રાપ્ત જીવોની તુલનામાં અનંત ઘણા વધારે છે.
આઠમો પ્રકાર છે “ભાવ”નો. ભાવ ત્રણ પ્રકારના હોય છે : ઉપશમ, લયોપશમ અને ક્ષાયિક. નમસ્કારનો સમાવેશ ક્ષયોપશમ ભાવમાં થાય છે. આ સામાન્ય નિયમ છે. રાજા શ્રેણિક, શ્રીકૃષ્ણ વગેરેનો ક્ષાવિકભાવમાં હતો. નમસ્કાર અને જીવ, જ્યારે ઉપશમ શ્રેણીમાં હોય છે ત્યારે ઉપશમભાવમાં હોય છે નમસ્કાર, નવમો પ્રકાર છે “અલ્પબદુત્વનો. – નમસ્કારને પામી રહેલા જીવો સૌથી ઓછા હોય છે. – જે જીવ નમસ્કાર પામેલા છે તેઓ અસંખ્યાતગણા વધારે હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org