________________
પ્રવચન : ૪૯
પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી સ્વરચિત ‘ધર્મીબંદુ’ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનની દિનચર્યા બતાવતાં કહે છે : चैत्यादिपूजापुरःसरं भोजनम् ॥७५॥
મધ્યાહ્ન કાળમાં ભોજન કરતાં પહેલાં ત્રણ કાર્યો કરવાનાં હોય છે ઃ (૧) જિનપ્રતિમાની પૂજા..
(૨) સાધુ-સાધ્વીને સુપાત્રદાન અને (૩) સાધર્મિક ભાઈ-બહેનોની ભક્તિ.
જિનપ્રતિમાની પૂજા :
પહેલી વાત તો એ છે કે વર્તમાન સમયમાં તમે લોકો પરમાત્મપૂજા પ્રાયઃ સવારના સમયે જ કરો છો. મધ્યાહ્ન કાળે, ભોજન પહેલાં પરમાત્મપૂજા નથી કરતા. સંયોગવશાત્ પરિસ્થિતિવશ મધ્યાહ્ન કાળમાં કરતા હશો. પરંતુ દૈનિક કાર્યક્રમમાં પૂજા કરનારા લોકો પ્રભાતમાં જ કરે છે.
અહીં ગ્રંથકાર મહર્ષિએ ભોજનની પહેલાં પરમાત્મપૂજા વગેરે ત્રણ પવિત્ર કાર્ય ક૨વાનો નિર્દેશ કર્યો છે. ત્રણે વાતો ભોજન સાથે જોડી દીધી છે. ચૈત્યાદ્રિપૂનાપુરસમાં મોનનમ્ । માત્ર ભોજનનો નિર્દેશ કરી શકતા હતા, એવો નિર્દેશ નથી કર્યો; પરંતુ કહ્યું :
પુષ્પ, ધૂપ, દીપ આદિથી જિનપ્રતિમાની પૂજા કરવી. સાધુ-સાધ્વીની પૂજા તેમને ઉચિત ભિક્ષા-પાણી આપીને કરવી.
સાધર્મિક ભાઈ-બહેનોને ઉચિત ભોજન આદિ આપવા. પ્રભુ-પૂજા કરવી અને પછી તમારે ભોજન કરવું. આ રીતે જો તમે લોકો ભોજન કરશો, તો ભોજન કરતી વખતે પણ તમારા વિચારો ભોજનના નહીં હોય. વિચારો હશે ૫રમાત્માના, સાધુઓના અથવા સાધર્મિકોના. પવિત્ર વિચારો સાથે કરેલું ભોજન તન-મનને નીરોગી બનાવે છે અને ‘આહા૨સંજ્ઞા'થી બચાવે છે. ભોજન કરતી વખતે જેઓ ભોજનના વિચારો નથી કરતા, દેવ-ગુરુના વિચારો કરે છે, તેઓ ભોજન કરતા હોવા છતાં પણ ઉપવાસી કહેવાય છે. તેઓ અશુભ કર્મ નથી બાંધતા, શુભ કર્મનું બંધન કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org