________________
ભાગ ૩
૧૭૧ અહીં સુધી મેં તમને નમસ્કાર મહામંત્ર'નો સંક્ષિપ્ત અર્થ બતાવ્યો. હવે વિસ્તારથી ભાવાર્થ તેમજ રહસ્યાર્થ બતાવવો છે. શાન્તિથી સાંભળજો. સમજવાનો પ્રયત્ન કરજો. કેટલાક શાસ્ત્રીય પરિભાષાના શબ્દો સાંભળો ! જે સમજાય નહીં તો પાછળથી મારી પાસેથી સમજી લેજો. નમસ્કાર મહામંત્રનો વિસ્તૃત અર્થ :
મોજાનુરી નામના ગ્રંથમાં - જો કે શ્રી નાવશ્યક સૂત્ર ના અંતર્ગત છે, એમાં શ્રી નમસ્કાર મહામંત્રનું જ્ઞાન પ્રાપ્ત કરવા અગિયાર દ્વાર બતાવ્યાં છે. એટલે કે અગિયાર પ્રકાર ચિંતનના બતાવ્યા છે.
उप्पत्ति निक्खेवो पयं पयत्थो परुवणा वत्थु ।
अकरवेव पसिद्धि कमो पओयणं फलं नमुक्कारो ॥ ૧. ઉત્પત્તિ, ૨. નિક્ષેપ, ૩. પદ, ૪. પદાર્થ, પ. પ્રરૂપણા, ૬. વસ્તુ, ૭. આક્ષેપ, ૮. પ્રસિદ્ધિ, ૯. ક્રમ, ૧૦. પ્રયોજન અને ૧૧. ફળ.
આ ૧૧ પ્રકારથી નમસ્કાર મહામંત્રનો વિચાર કરી શકાય છે. નમસ્કાર નિયુક્તિ નામના ગ્રંથમાં આ ૧૧ પ્રકારથી વર્ણન મળે છે. કોઈ વાર આ વિષયના જ્ઞાતા વિદ્વાનું મહાત્મા પાસે આ ગ્રંથ સાંભળવો જોઈએ. સભામોથી : આપ જ કૃપા કરો સંભળાવવાની. મહારાજશ્રી તો પછી “ધર્મબિંદુ ગ્રંથ કોણ સંભળાવશે ? અધૂરો રહી જશે આ ગ્રંથ ! એટલા માટે હું તો 'નમસ્કાર નિયુક્તિ'માંથી મને તમારા માટે જેટલો ઉપયોગી લાગે છે, તેટલો જ ભાગ સંભળાવીશ. સંક્ષેપમાં આ ૧૧ દ્વારોથી નમસ્કાર મહામંત્રનું વિવેચન કરું છું. ૧. ઉત્પત્તિ ઃ નમસ્કારની ઉત્પત્તિ ત્રણ પ્રકારે બતાવી છે : (૧) સમુત્થાન (૨) વાચના (૩) લબ્ધિ. . પહેલાં “સમુત્થાન’નો અર્થ સમજી લો.
(૧) સમુત્થાન : પ્રણિપાત માટે શરીરના હાથ-પગ આદિ અંગોનું સમુચિત ઉત્થાન. એનાથી નમસ્કાર ઉત્પન્ન થાય છે. નમસ્કાર માટે શરીર જ પ્રમુખ કારણ છે. નમસ્કારનો આધાર અને નમસ્કારનું સામીપ્ય શરીરનું જ હોય છે.
(૨) વાચનાઃ નમસ્કારની ઉત્પત્તિનું બીજું કારણ છે વાચના. બીજાં પાસેથી અધ્યયન ગ્રહણ કરવું, શ્રવણ કરવું અથવા નમસ્કારના અર્થ-સહિત જ્ઞાન પ્રાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org