________________
(પ્રવચન : ૬૨)
પરમ કૃપાનિધિ, મહાન શ્રતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ ધમબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં ગૃહસ્થ ધર્મનું સમુચિત પ્રતિપાદન કર્યું છે.
સામાન્યતયા લોકો એવું સમજે છે કે યોગાભ્યાસ’ તો સાધુ-સંતોનો વિષય છે. યોગીપુરુષો જ યોગાભ્યાસ કરે છે. ગૃહસ્થ લોકો યોગાભ્યાસ કેવી રીતે કરશે? ગ્રંથકાર આચાર્યદવે ગૃહસ્થોને અલ્પકાળ માટે યોગી બનવાનો ઉપદેશ આપ્યો છે ! આમ તો અંતઃકરણથી તમે લોકો પણ યોગી જ છો ને? તમારી ઇચ્છા તો યોગી બનવાની જ છે ને? તો તમે અવશ્ય યોગાભ્યાસમાં પ્રવૃત્ત થશો. તમને યોગાભ્યાસ જરૂર ગમશે. ‘યોગાભ્યાસ પછી ગ્રંથકારે સૂત્ર આપ્યું છે ?
__ तथा - नमस्कारादिचिन्तनम् ।।८६।। તમારે “શ્રી નમસ્કાર મહામંત્ર’ આદિના વિષયમાં ચિંતન-મનન કરવાનું છે. “આદિ પદથી લોગસ્સ સૂત્ર'ના વિષયમાં, “નમુત્થણે સૂત્ર'ના વિષયમાં, “ઉવસગ્ગહર સૂત્ર' વગેરે સૂત્રોના વિષયમાં પણ ચિંતન-મનન કરવું જોઈએ. અધ્યયન વગર ચિંતન નહીં?
તમે અધ્યયન કર્યું હશે તો જ ચિંતન-મનન કરી શકશો. જ્ઞાની ગુરુદેવની પાસે વિનયથી બેસીને, તમે નમસ્કાર મહામંત્રના અર્થના રહસ્યનું વિસ્તૃત તેમજ ગહન અધ્યયન કર્યું હશે, તો તમે એ વિષયમાં ચિંતન-મનન કરી શકશો. અધ્યયન કરવું અતિ આવશ્યક છે.
સભામાંથી સમય જ મળતો નથી ! મહારાજશ્રી ઃ બધો સમય અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થમાં જ ચાલ્યો જાય છે. ધાર્મિક અધ્યયન માટે સમય જ બચતો નથી! સાચી વાત છે ને? જેટલી ઉપયોગિતા અર્થ અને કામની સમજે છો એટલી ઉપયોગિતા ધાર્મિક અધ્યયનની સમજો છો ? સમય મળી શકે, જો તમારી તમન્ના હોય તો. કેટલાય ગૃહસ્થો નિયમિત અધ્યયન-ચિંતન-મનન કરે છે. એવા કેટલાક મહાનુભાવોને હું જાણું છું.
આજકાલ ૨૫-૩૦ વર્ષોથી તમારા લોકોનો લોભ વધતો જાય છે. ધન કમાવાનો લોભ વધતો જાય છે અને પાંચે ઈન્દ્રિયોના વિષયસુખ ભોગવવાનો લોભ વધી ગયો છે. એવા ધનલોભી અને વિષયલોભી લોકો અધ્યયન નથી કરી શકતા. એમનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org