________________
ભાગ ૩
૧૬૫ કહેવામાં આવ્યું છે કે કર્મ એ જ સંસારનું મૂળ છે.” એ કર્મ ક્યારેય કેડો ન મૂકનાર માણસના પડછાયા જેવું છે. કર્મના કારણે જ પુનર્જન્મ અને સંસ્કારચક્ર ચાલ્યા કરે છે. એટલા માટે કર્મ અથવા સંસારથી વિમુક્ત થવા માટે બૌદ્ધ ધર્મમાં શીલ અને સમાધિના અભ્યાસનું સાતત્ય જાળવવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. જેનાથી નિવણિની પ્રાપ્તિ થાય છે.
'વિશુદ્ધિમ" નામક ગ્રંથમાં કહ્યું છેઃ 'विसुद्धीति सव्वमलविरहितं अच्चंत परिशुद्ध निव्वाणं वेदितव्यं ।'
નિવણિ એક આધ્યાત્મિક અનુભવ છે. એની પ્રાપ્તિ માટે ચિત્તની શુદ્ધિ અપેક્ષિત છે. કારણ કે ચિત્તશુદ્ધિ અને જીવનશુદ્ધિ એ જ તો નિવણિ છે. નિવણિની અવસ્થામાં કોઈ પણ જાતનો ચિત્તમલ રહેતો નથી. આ અવસ્થા સંપૂર્ણ કર્મક્ષય થવાની અંતિમ પ્રક્રિયા છે.
ધ...દમાં કહેવામાં આવ્યું છે. નિબ્બા પર સુવમેં આ જ ગ્રંથમાં આગળ જઈને કહ્યું છે. છેલ્વા વષ તતો નિવ્વાળાદેસિ |
તાત્પર્ય એ છે કે નિવણિ એ જ પરમ સુખ છે, રાગદ્વેષનો ઉચ્છેદ કરવાથી જ નિવણિ પ્રાપ્ત થાય છે.
મિલિંદપ્રશ્નમાં કહેવામાં આવ્યું છે? તૃષ્ણાના નિરોધથી ઉપાદાનનું દુઃખ, ઉપાદાનના નિરોધથી ભવનું ભવના નિરોધથી જન્મનું અને પુનર્જન્મના નિરોધથી વૃદ્ધત્વ, શોક, દુઃખ, ચિંતા, બેચેની વગેરે તમામ પ્રકારનાં દુઃખો સમાપ્ત થઈ જાય
છે.
રાગ-દ્વેષ અને મોહનો ક્ષય કરી દેવો એ જ નિવણ છે. નિવણિની સ્થિતિમાં દુઃખનો લેશ પણ રહેતો નથી. આ સ્થિતિ આનંદની અત્યધિક પરાકાષ્ઠાએ પ્રાપ્ત થાય છે.
વૈદિક પરંપરાની જેમ બૌદ્ધ પરંપરામાં પણ નિવણના બે પ્રકાર બતાવવામાં આવ્યા છે સોપાદીશેષ, અનુપાદીશેષ. સોપાદીશેષનો અર્થ છે જીવનમુક્તિ અને અનુપાદીશેષનો અર્થ છે વિદેહ મુક્તિ આજે બસ, આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org