________________
૧૬૪
શ્રાવકજીવન
મ૨ણ, ક્ષુધા, ખેદ, મદ, મૂર્છા, મત્સર વગેરે દોષો રહેતા નથી. આત્મા ત્યાં સદૈવ એક જ અવસ્થામાં રહે છે. આત્મા એક અનિર્વચનીય સુખાનુભૂતિનો અનુભવ કરે છે.
વૈદિક શાસ્ત્રોમાં મોક્ષ ઃ
હવે આપણે ભારતીય અન્ય દર્શનોમાં - પરંપરાઓમાં મોક્ષ' અંગે જે વાતો કરવામાં આવી છે, એ થોડી જાણી લઈએ.
ઉપનિષદ્, ગીતા, પુરાણ, યોગવાશિષ્ઠ વગેરે ગ્રંથોમાં બતાવવામાં આવ્યું છે કે જ્યારે યોગી ‘ચિત્’ને પૂર્ણતઃ વિશુદ્ધ બનાવી લે છે ત્યારે કૈવલ્ય’ અથવા ‘મોક્ષ’ની પ્રાપ્તિ થાય છે.
‘અમૃતબિંદુ ઉપનિષદ્'માં મનના અવરોધને મોક્ષનો ઉપાય બતાવવામાં આવતા યોગાભ્યાસથી જ્ઞાન પ્રાપ્ત કરવાનો તથા મુક્તિ પ્રાપ્ત કરવાનો ઉલ્લેખ આવે
છે.
ધ્યાનબિંદુ ઉપનિષદ્’ અને ‘યોગચૂડામણિ ઉપનિષદ્' મુજબ કુંડલિની શક્તિના જાગ્રત થવાથી મોક્ષદ્વાર ઊઘડે છે.
‘યોગદર્શન' માં કહેવામાં આવ્યું છે ઃ જીવાત્માનો સૃષ્ટિ સાથે જે કર્તાપણાનો અને ભોક્તાપણાનો સંબંધ છે કે પછી પુરુષ તથા પ્રકૃતિનો સંયોગ એ જ દુઃખનું મૂળ કારણ છે. આ સંયોગનું કારણ ‘અવિદ્યા’ છે. અવિદ્યાનાં બંધનને તોડવા માટે ‘યોગ’ના અનેક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. વાસના, ક્લેશ અને કર્મ એ જ સંસાર છે. અથવા તો આને જ સંસારનાં કારણરૂપ ગણી શકાય. એટલા માટે આ વાસનાઓને પૂર્ણરૂપેણ નષ્ટ-વિનષ્ટ કરીને સ્વ-રૂપમાં અવસ્થિત બની જવું એ જ મોક્ષ છે. બીજા શબ્દોમાં કહીએ તો વાસનાનો ક્ષય એ જ મોક્ષ અથવા જીવનમુક્તિ
છે.
તૈતરીય ઉપનિષદ્માં કહેવામાં આવ્યું છે કે મોક્ષ વાણી તથા મનથી પેલે પાર છે - અગોચર છે.
‘સાંખ્યદર્શનમાં કહેવાયું છે કે યોગી જ્યારે સંચિત તથા ક્રિયમાણ કર્મોને નષ્ટ કરી દે છે અને પ્રારબ્ધ કર્મોનું ભોગવવું સમાપ્ત થઈ જાય છે, અર્થાત્ સત્ત્વ-૨જ અને તમનાં કાર્યો બંધ થઈ જાય છે, ત્યારે એ યોગી વિદેહમુક્ત' કહેવાય છે. બૌદ્ધદર્શનમાં મોક્ષ :
હવે જરા બૌદ્ધદર્શનની માન્યતાને પણ મમળાવી લઈએ. એ દર્શન પણ મોક્ષ અંગે, નિર્વાણ અંગે મહત્ત્વની વાતો કરે છે.મિલિન્દ પ્રશ્ન' નામક બૌદ્ધ ગ્રંથમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org