________________
૧૬૩
ભાગ ૩
એ મુક્તિ મેળવી લે છે. મુક્ત થઈ ગયા પછી એ પુનઃ એ અવસ્થામાં પાછો આવતો નથી, ન સંસારમાં પાછો ફરે છે. મુક્ત આત્મા અનંત શક્તિ - અનંતવીર્ય ધારણ કરીને આત્મસુખમાં લીન બની જાય છે. મુક્તાવસ્થામાં કોઈ વિચારોનું રમખાણ નથી હોતું. કારણ ત્યાં મન હોતું જ નથી ! ન ઇચ્છાઓ હોય છે, ન વ્યાધિ હોય છે. ત્યાં આત્મા અરૂપી, અનામી અને અવ્યાબાધ સ્થિતિવાળો હોય છે. આ રીતે ટૂંકમાં આપણે આઠ દૃષ્ટિઓ અંગે થોડી વાતો કરી.
મોક્ષ ઃ
યોગની પરિભાષા બાંધતા કહેવામાં આવ્યું છે કે 'મોક્ષેળ યોનનાવ્ યોઃ ।' મોક્ષની સાથે જીવાત્માને જોડવો તેને યોગ કહેવાય છે. લક્ષ્ય, ધ્યેય, ઉદ્દેશ્યની દૃષ્ટિએ મોક્ષનું સ્થાન સહુથી વધારે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આત્મવિકાસની પરમ સ્થિતિ એ જ મોક્ષ છે. મોક્ષ પ્રાપ્ત કરવા માટે સમ્યક્ દર્શન, જ્ઞાન અને ચારિત્રની એકરૂપ આરાધના અપેક્ષિત હોય છે. આ આરાધના યોગનું જ એક આનુષંગિક રૂપ છે. રાગ-દ્વેષ વગેરે ભાવોથી યુક્ત હોવાના કારણે જીવાત્મા ચાર ગતિઓમાં રઝળે છે. અને જ્યારે આ રાગ-દ્વેષાદિ ભાવો નષ્ટ થઈ જાય છે, ત્યારે આત્મા પોતાના મૂળભૂત રૂપમાં સ્થિર બની જાય છે. જ્યારે સંપૂર્ણતયા ‘યોગનિરોધ’ રૂપ ચારિત્ર પૂર્ણ થાય છે, ત્યારે જ મુક્તિ થાય છે. એટલે કે સંવર અને નિર્જરા દ્વારા કર્મોનો સંપૂર્ણતયા ઉચ્છેદ એ જ મોક્ષ છે. સંપૂર્ણ કર્મોનો નાશ થવાથી આત્મા સ્વયં જ સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરે છે. સિદ્ધાવસ્થામાં આત્મા અશરીરી બની જાય છે.
મોક્ષમાં પ્રત્યેક જીવનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ કાયમ રહે છે. આવો સિદ્ધાત્મા સંસારમાં પુનરાગમન કરતો નથી. સિદ્ધોમાં ‘અગુરુલઘુ’ નામનો ગુણ રહેલો હોય છે. જેના કારણે લોખંડની જેમ ગુરુતા હોવાના કારણે નીચે આવવા માટે આત્મા વિવશ બનતો નથી, જ્યારે રૂ જેવો હલકો પણ નથી, તેથી વાયુનું અનુસરણ કરવું પડતું નથી.
‘યોગબિન્દુ'માં કહેવાયું છે :
एकान्त क्षीणः संक्लेशो निष्ठितार्थस्ततश्च सः I निराबाधः सदानन्दो मुक्तावात्माऽवतिष्ठते ॥ ५०४ ॥ આત્માની સિદ્ધાવસ્થા કર્મમુક્ત, નિરાબાધ, સંક્લેશરહિત, સર્વશુદ્ધ અને સદાનંદી હોય છે.
જ્યાં નિદ્રા, તંદ્રા, ભય, ભ્રાંતિ, રાગ-દ્વેષ, પીડા, સંશય, શોક, મોહ, જન્મ-જરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org