SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ શ્રાવકજીવન ધ્યાનના કારણે યોગીના માનસિક અદ્વંદ્વો ઓછા થતા જાય છે. એની સમત્વ બુદ્ધિનો વિકાસ થતો રહે છે. એ દૃઢતાપૂર્વક આત્મચિંતનનાં ઊંડાણમાં ઊતરી જાય છે. આ દૃષ્ટિમાં સાધક શાંત અને ક્ષમાશીલ બની જાય છે. શત્રુમિત્રને સમભાવે જુએ છે. એની ઇચ્છાઓનો નાશ થતો જાય છે. સદાચારોનું પાલન કરવાની સાથે એ મોક્ષમાર્ગ પર અગ્રસર થતો રહે છે. ‘અસંગ-અનુષ્ઠાન' અહીં આ દૃષ્ટિમાં પ્રગટ થાય છે. ચાર પ્રકારના અનુષ્ઠાનો અંગે ષોડશક પ્રકરણમાં બતાવવામાં આવ્યું છે तत्प्रीति-भक्ति- वचनासंगोपददं चतुविधिं गीतम् । तत्त्वाभिज्ञैः परमपदसाधनं सर्वमेववैतत् 11 (૧) પ્રીતિ અનુષ્ઠાન, (૨) ભક્તિ અનુષ્ઠાન, (૩) વચન અનુષ્ઠાન અને (૪) અસંગ અનુષ્ઠાન. વચનાનુષ્ઠાનમાં સહજ-સ્વાભાવિક પ્રવૃત્તિ થવી એ જ અસંગાનુષ્ઠાન છે. આ પ્રભા દૃષ્ટિમાં સાધકની અવસ્થાને પ્રશાંતવાહિતા, વિસભાગપરિક્ષય, શિવવર્ત્ય, ધ્રુવાઘ્ના પણ કહેવામાં આવે છે. આ આત્માની ઉત્કૃષ્ટ દશા હોય છે. અહીં જીવાત્માને ૫૨માનંદની પ્રાપ્તિ થાય છે. ૮, પરા દૃષ્ટિ : આ સૃષ્ટિમાં તમામ ઇચ્છાઓ વિરામ પામે છે. મોક્ષની પણ ઇચ્છા રહેતી નથી ! અહીં યોગના આઠમા અંગ ‘સમાધિ’ નો પ્રાદુર્ભાવ થાય છે. સંગાદિ દોષોથી પ્રસ્તુત દૃષ્ટિ મુક્ત હોય છે. અહીં તમામ પ્રવૃત્તિઓ સાત્મીકૃત હોય છે. કોઈ પણ આશય, ઇચ્છા કે આશંસા અવશિષ્ટ રહેતી નથી ! આ દૃષ્ટિનું દર્શન ચંદ્રપ્રભાનાં કિરણોની જેમ શાંત અને સૌમ્ય હોય છે. આ દૃષ્ટિ સમાધિની દૃષ્ટિ હોય છે. અહીં મનના તમામ વિચારો નષ્ટ થઈ જાય છે. આ પ્રમાણે અતિચાર અને અનાચારથી વર્જિત હોવાના કારણે સાધક-યોગી ક્ષપક શ્રેણિ અથવા ઉપશમ શ્રેણિ દ્વારા આત્માની પૂર્ણતા મેળવી લે છે. આઠમા ગુણસ્થાનકના દ્વિતીય ચરણથી યોગી ક્ષપક શ્રેણિ વડે ચાર ઘાતી કર્મોનો નાશ કરીને પૂર્ણ કર્મ-સંન્યાસયોગ પ્રાપ્ત કરે છે, અને કોઈ જાતની બાધા વગર કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લે છે. આ ક્રમમાં યોગી નિર્વાણ પામવાની સ્થિતિમાં યોગસંન્યાસ' નામક યોગ પ્રાપ્ત કરે છે. એના અંતિમ-શેષ સમયમાં બાકી રહેલા ચાર અઘાતી કર્મોને નષ્ટ કરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy