________________
ભાગ ૩
૧૬૧ પ સ્થિર વૃષ્ટિ:
જ્યારે સાધકમનુષ્ય આ દ્રષ્ટિમાં પ્રવેશ કરે છે, ત્યારે પ્રત્યાહાર' નામક યોગાંગ પ્રગટે છે. એનું દર્શન સમ્યફ બને છે. અભ્રાંત, નિર્દોષ અને સૂક્ષ્મ અવબોધવાળો બને છે. પ્રત્યાહારના કારણે આ વૃષ્ટિની સ્થિતિમાં સાધકની મનઃસ્થિતિ સંતુલિત અને સ્વસ્થ હોય છે. એ બાહરી ભોગસુખો અને વૈભવવિલાસથી, પોતાની ઈન્દ્રિયોના વિષયોથી નિર્લેપ થઈને, માત્ર ચારિત્રના વિકાસ માટે જ પોતાની જાતને કેન્દ્રિત કરે છે. એને શરીર-આત્માનું ભેદજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. ઇન્દ્રિયો સંયમિત. બને છે. આ દ્રષ્ટિને “રત્નપ્રભા'ની ઉપમા આપવામાં આવે છે. રત્નપ્રભા-રત્નની ચમક જેમ સ્થિર, સૌમ્ય, શાંત અને દીપ્ત હોય છે એવી જ રીતે તૃષ્ટિનું દર્શન પણ સ્થિર, સૌમ્ય, શાંત અને દીપ્ત હોય છે. .
૬. કાન્તા દ્રષ્ટિ આ દૃષ્ટિ તારાઓના આલોક સમાન શાંત અને ચિર પ્રકાશમાન થાય છે.
આ દૃષ્ટિમાં ધારણા' નામક યોગાંગના સંયોગથી યોગીને સુસ્થિર અવસ્થા પ્રાપ્ત થાય છે. પરોપકાર અને સદ્વિચારોથી એનું હૃય આપ્લાવિત રહે છે. એનાચિત્તની વિકલતા દૂર થઈ જાય છે.
આ દ્રષ્ટિમાં સાધક ચારિત્રવિકાસની અપૂર્વતા પ્રાપ્ત કરી લે છે. ચિત્તની તમામ મલીનતાઓ દૂર કરી દે છે અને એની પ્રત્યેક ક્રિયા અહિંસા-વૃત્તિની પરિચાયક બની જાય છે.
ઈન્દ્રિયો શાંત થવાથી અને ધાર્મિક સદાચારોના સમ્યફ પાલનથી એનો સ્વભાવ ક્ષમાશીલ બની જાય છે. એ જ્યાં પણ જાય છે ત્યાં તમામ લોકોમાં પ્રિય બને છે. તમામ જીવાત્માઓને એ પ્રિય બને છે.
प्रियो भवति भूतानां धर्मंकानमनास्तथा । આ પ્રમાણે પૂર્વવર્તી દ્રષ્ટિઓની અપેક્ષયા આ દ્રષ્ટિમાં સાધકને પરમ આનંદની અનુભૂતિ થવા લાગે છે. સમ્યક જ્ઞાનની પ્રાપ્તિના પ્રતાપે એને સ્વ-પર વસ્તુનો અવબોધ થાય છે. ઈષ્યમિત્સર, ક્રોધ વગેરે દોષોનો પરિહાર થાય છે.
૭. પ્રભા દ્રષ્ટિ
આ દ્રષ્ટિનો ઉઘાડ થતાની સાથે જ યોગનાં અંગ ધ્યાનનો પ્રવેશ થાય છે. કહેવામાં આવ્યું છે ધ્યાન-fuથા માં પ્રભાષ્ટિને ધ્યાન પ્રિય હોય છે. '
આ દ્રષ્ટિમાં સૂર્યના પ્રકાશની જેમ અત્યંત સુસ્પષ્ટ દર્શનની પ્રાપ્તિ થાય છે. આ વૃષ્ટિવાળા સાધકને કોઈ પણ જાતનો રોગ થતો નથી અને તત્ત્વ-પ્રતિપત્તિ' નામક ગુણની સંપ્રાપ્તિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org