________________
ભાગ ૩
૧પ૭ જેનાથી સમ્યફ પ્રકારે શ્રદ્ધાની સાથે બોધ પ્રાપ્ત થાય, જ્ઞાન મળે એને દૃષ્ટિ કહેવામાં આવે છે. આનાથી અસત્ પ્રવૃત્તિઓ છૂટી જાય છે અને સમ્પ્રવૃત્તિઓની સહજ પ્રાપ્તિ થાય છે.
આ આઠ દૃષ્ટિઓનાં નામ છે? (૧) મિત્રા (૨) તારા (૩) બલા (૪) દીપ્રા (૫) સ્થિરા (૬) કાન્તા (૭) પ્રભા અને (૮) પરા.
યોગદૃષ્ટિ સમુચ્ચય' નામના ગ્રંથમાં આ આઠે વૃષ્ટિઓની બાબતમાં આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ ખૂબ વિશદ રીતે વિવેચના કરી છે.
આ આઠેય દૃષ્ટિઓમાં જીવાત્માને કઈ કક્ષાનું જ્ઞાન, વિશેષ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે, એ વાતને આઠ પ્રતીકાત્મક રૂપકો દ્વારા સમજાવવામાં આવી છે. - આઠ પ્રકારના અગ્નિની ઉપમા દ્વારા જ્ઞાનની તરતમતા, સ્પષ્ટતા તથા વિશદતા બતાવવામાં આવી છે. અને સાથે સાથે એ દ્રષ્ટિઓના ઉઘાડની સાથે જે આઠ જાતના દોષો દૂર થઈ જાય છે, એ પણ બતાવવામાં આવ્યું છે.
પ્રકાર (ઉપમા). દૂર થતો દોષ મિત્રા તણાગ્નિ
ખેદ તારા ગોમયાગ્નિ
ઉદ્વેગ બલા કાષ્ઠાગ્નિ
ક્ષેપ દીપ્રા દીપકાગ્નિ
ઉત્થાન સ્થિરા રત્નપ્રભા
શ્રાંતિ. કાન્તા નક્ષત્રપ્રભા
અન્યમુદ્દે પ્રભા સૂર્યપ્રભા
સગુ. પરા ચંદ્રપ્રભા
આસંગ આની સાથે સાથે આઠ જાતના યમ, નિયમ વગેરે યોગનાં અંગો પણ પ્રાપ્ત થાય છે. આટલી પૂર્વભૂમિકા બાંધ્યા પછી હવે એક એક દ્રષ્ટિને સમજીએ. ૧. મિત્રા દૃષ્ટિ
આ દ્રષ્ટિમાં દર્શનની મંદતા હોય છે. અહિંસા વગેરે યમનું પાલન કરવાની ઈચ્છા થાય છે અને દેવપૂજા વગેરે અનુષ્ઠાનોમાં ખેદ નથી થતો. અલબત્ત, આ દ્રષ્ટિમાં જીવને જ્ઞાન પ્રાપ્ત થાય છે. પણ એ જ્ઞાન, એ તત્ત્વબોધ સ્પષ્ટ રૂપે નથી થતો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org