________________
૧૫૬
શ્રાવકજીવન યોગમાં વિચરણ રહેતું નથી. અહીં ભાવકૃતના આલંબનથી શુદ્ધ આત્મસ્વરૂપમાં ચિંતન ચાલ્યા કરે છે.
શુક્લધ્યાનના આ બંને પ્રકાર, આત્માને ઉપશમ શ્રેણિ અથવા ક્ષપણ શ્રેણિમાં આરૂઢ કરનાર હોય છે. અર્થાત્ આ બંને પ્રકાર, આ બે શ્રેણિઓમાં સર્જાય છે. બીજા પ્રકારના ધ્યાનનું પરિણામ વીતરાગતા હોય છે. ક્ષપક શ્રેણિવાળો ધ્યાની આત્મા, જ્ઞાનાવરણીયાદિ કર્મોને વિનષ્ટ કરીને, કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સર્વજ્ઞ બની જાય છે.
ત્રીજો પ્રકાર છે - સૂકમક્રિયા-અપ્રતિપાતિ આ ધ્યાન ચિંતન સ્વરૂપમાં નથી. સર્વજ્ઞ વીતરાગ આત્માને બધું જ આત્મપ્રત્યક્ષ હોવાથી એમને ચિંતનાત્મક ધ્યાનની આવશ્યકતા રહેતી જ નથી ! આ ત્રીજા પ્રકારમાં મન, વાણી અને કાયાના બાદર યોગોનું અવરોધન થાય છે. સૂક્ષ્મ મન-વચન-કાયાના યોગો રંધનાર એક જ સૂક્ષ્મ કાયયોગ અવશિષ્ટ રહે છે. આ ત્રીજા પ્રકારનું ધ્યાન એટલે આત્માની એવી અવસ્થા હોય છે કે જે અપ્રતિપાતી – અવિનાશી હોય છે.
ચોથો પ્રકાર છે - બુચ્છિન્નક્રિયા-અનિવૃત્તિ આ ધ્યાનમાં બધા યોગો સમાપ્ત થઈ જાય છે. તમામ યોગો વિચ્છિન્ન થઈ જાય છે. આ અવસ્થાનું ક્યારેય પુનરાવર્તન થતું નથી. આ અવસ્થા જ ધ્યાનરૂપ હોય છે. આવશ્યક સૂત્ર' માં શ્રી હરિભદ્રસૂરિજીએ કહ્યું છે:
योगनिरोधो जिनानामेव ध्यानम् આ જ વાત આચાર્યશ્રી રત્નશેખરસૂરિજી ગુણસ્થાનક્રમારોહમાં બીજા શબ્દોમાં આ પ્રમાણે ગૂંથે છેઃ
वपुषः स्थैर्य ध्यानं केवलिनो भवेत् ।' કાયાની સ્થિરતા એ જ કેવળજ્ઞાનીનું ધ્યાન હોય છે.
ચાર પ્રકારના ધ્યાનના વિષયમાં આટલી વાતો જણાવીને હવે હું તમને યોગની આઠ પ્રકારની દ્રષ્ટિઓ અંગે થોડુંક સમજાવી દેવા માગું છું. આઠ યોગદ્ગષ્ટિઃ
આત્માના ક્રમિક વિકાસને ધ્યાનમાં રાખીને આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ યોગની આઠ દૃષ્ટિઓ વર્ણવી છે. દ્રષ્ટિ એટલે શું? એની પરિભાષા કરતા તેઓ લખે છે :
सत् श्रद्धासंगतो बोधो द्रष्टिरित्यभिधीयते ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org