SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન : ૧ પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે સ્વરચિત ગ્રંથ ‘ધર્મબંદુ'ના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનની દિનચર્યા અંગે સમજણ આપતા કેટલીક મહત્ત્વની વાતો કરી છે. એમાં એક વાત છે ઃ યોગાભ્યાસની ! ગઈ કાલે મેં તમને યોગના અનન્ય અંગ ધ્યાનના વિષયમાં કેટલીક વાતો કરી હતી. આર્તધ્યાન, રૌદ્રધ્યાન અને ધર્મધ્યાન અંગે સમજાવ્યા પછી ‘શુક્લધ્યાન'ની વાત કરી હતી. શુક્લધ્યાનના પ્રકાર : શુક્લધ્યાનના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે ઃ ૧. પૃથકત્વ-વિતર્ક-અવિચાર, ૨. એકત્વ-વિતર્ક-અવિચાર, ૩. સૂક્ષ્મક્રિયા-અપ્રતિપાતી, ૪. બુચ્છિન્નક્રિયા અનિવૃત્તિ. પહેલા આ શબ્દોને સારી રીતે સમજી લઈએ. ‘ગુણસ્થાનક્રમારોહ’ નામના ગ્રંથમાં આ શબ્દોની પરિભાષા આ પ્રમાણે આપવામાં આવી છે : श्रुतचिंता वितर्कः स्यात् विचारः संक्रमो मतः । पृथक्त्वं स्यादनेकत्वं भवत्येतत् પૃથકત્વ = અનેકત્વ. ધ્યાનની વિવિધતા. વિતર્ક = શ્રુતચિંતા. ચૌદ પૂર્વગત શ્રુતજ્ઞાનનું ચિંતન. વિચાર = સંક્રમ. પરમાણુ, આત્મા આદિ પદાર્થ અને એમના વાચક શબ્દ તથા કાયાદિક યોગ. આ ત્રણમાં વિચરણ, સંચરણ અને સંક્રમણ. આ પહેલું શુક્લધ્યાન છે. બીજો પ્રકાર છે - એકત્વ-વિતર્ક-અવિચાર ઃ આ ધ્યાનમાં એકત્વ, અવિચારિતા અને સવિતર્કતા હોય છે. અર્થાત્ આ બીજા પ્રકારમાં એક જ આત્મદ્રવ્યનું અથવા પર્યાયનું કે ગુણનું નિશ્ચલ ધ્યાન થતું હોય છે. પ્રસ્તુત ધ્યાનમાં અર્થ, શબ્દ અને Jain Education International ત્રયાત્મમ્ ાદ્દશા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy