________________
પ્રવચન : ૧
પરમ કૃપાનિધિ, મહાન શ્રુતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે સ્વરચિત ગ્રંથ ‘ધર્મબંદુ'ના ત્રીજા અધ્યાયમાં શ્રાવકજીવનની દિનચર્યા અંગે સમજણ આપતા કેટલીક મહત્ત્વની વાતો કરી છે. એમાં એક વાત છે ઃ યોગાભ્યાસની !
ગઈ કાલે મેં તમને યોગના અનન્ય અંગ ધ્યાનના વિષયમાં કેટલીક વાતો કરી હતી. આર્તધ્યાન, રૌદ્રધ્યાન અને ધર્મધ્યાન અંગે સમજાવ્યા પછી ‘શુક્લધ્યાન'ની વાત કરી હતી.
શુક્લધ્યાનના પ્રકાર :
શુક્લધ્યાનના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે ઃ
૧. પૃથકત્વ-વિતર્ક-અવિચાર,
૨. એકત્વ-વિતર્ક-અવિચાર,
૩. સૂક્ષ્મક્રિયા-અપ્રતિપાતી, ૪. બુચ્છિન્નક્રિયા અનિવૃત્તિ.
પહેલા આ શબ્દોને સારી રીતે સમજી લઈએ.
‘ગુણસ્થાનક્રમારોહ’ નામના ગ્રંથમાં આ શબ્દોની પરિભાષા આ પ્રમાણે
આપવામાં આવી છે :
श्रुतचिंता वितर्कः स्यात् विचारः संक्रमो मतः । पृथक्त्वं स्यादनेकत्वं भवत्येतत्
પૃથકત્વ = અનેકત્વ. ધ્યાનની વિવિધતા.
વિતર્ક = શ્રુતચિંતા. ચૌદ પૂર્વગત શ્રુતજ્ઞાનનું ચિંતન.
વિચાર = સંક્રમ. પરમાણુ, આત્મા આદિ પદાર્થ અને એમના વાચક શબ્દ તથા કાયાદિક યોગ. આ ત્રણમાં વિચરણ, સંચરણ અને સંક્રમણ. આ પહેલું શુક્લધ્યાન છે.
બીજો પ્રકાર છે - એકત્વ-વિતર્ક-અવિચાર ઃ આ ધ્યાનમાં એકત્વ, અવિચારિતા અને સવિતર્કતા હોય છે. અર્થાત્ આ બીજા પ્રકારમાં એક જ આત્મદ્રવ્યનું અથવા પર્યાયનું કે ગુણનું નિશ્ચલ ધ્યાન થતું હોય છે. પ્રસ્તુત ધ્યાનમાં અર્થ, શબ્દ અને
Jain Education International
ત્રયાત્મમ્ ાદ્દશા
For Private & Personal Use Only
www.jainelibrary.org