________________
૧૫૪
શ્રાવકજીવન (૪) સંસ્થાનવિચય: આ ધર્મધ્યાન અંગે યોગશાસ્ત્રમાં કહેવાયું છેઃ
अनाद्यनंतलोकस्य स्थित्युत्पत्तिव्ययात्मनः ।
आकृति चिन्तयेद्यत्र संस्थानविचयः स तु ॥ અનાદિ-અનંતકાળથી, અવ્યાહત રૂપથી જે અસ્તિત્વમાં છે, એ જગતનું ધ્યાન કરવું એને કહેવાય છે. સંસ્થાનવિય ધર્મધ્યાન. વસ્તુતઃ આ જગત ઉત્પાદૂ-વ્યય અને ધ્રોથી યુક્ત હોય છે. પર્યાયની દ્રષ્ટિએ પદાર્થો ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે, પણ દ્રવ્યની વૃષ્ટિથી પદાર્થ નિત્ય જ રહે છે. આ ધ્યાનમાં ચૌદ રાજલોકની આકૃતિનું તેમજ ઊર્ધ્વલોક, મધ્યમલોક અને અધોલોકનું ચિંતન કરવામાં આવે છે. શુક્લધ્યાન :
ચાર પ્રકારના ધ્યાનમાં ચોથું અને અંતિમ ધ્યાન છે શુક્લધ્યાન. આત્માની અત્યંત શુદ્ધ-વિશુદ્ધ અવસ્થાને શુક્લધ્યાન કહેવામાં આવે છે.
સમવાયાંગ સૂત્રમાં કહ્યું છેઃ શ્રુતના આધારે મનની આત્યંતિક સ્થિરતા અને યોગનો વિરોધ કરવો એ છે શુક્લધ્યાન.
'ઠાણાંગ સૂત્ર’ માં શુક્લધ્યાનના પ્રકાર, લક્ષણ, આલંબન અને અનુપ્રેક્ષાઓ અંગે વ્યવસ્થિત વિવરણ છે.
કષાયો સંપૂર્ણપણે ઉપશાંત ત્યારે થાય છે જ્યારે શુક્લધ્યાન પ્રગટે છે. આ સ્થિતિમાં ચિત્ત, ધ્યાન, ધારણાના વિકલ્પોથી મુક્ત હોય છે.
શુક્લધ્યાન'ના ચાર આલંબન હોય છે : ક્ષમા, માર્દવ, આર્જવ અને મુક્તિ. આ અંગે ધ્યાનશતકમાં કહેવાયું છેઃ
ગઢ-વંતિ-મદ્વ–ડMવ–પુત્તમ નિમાષ્ય રાખવો | आलंबणाइ जेहिं सुक्कज्झाणं समारुहइ ॥६९।। શુક્લધ્યાનમાં પ્રવેશ મેળવવા માટે આ ચાર આલંબન બતાવવામાં આવ્યા છે. ક્ષમાથી, મૃદુતાથી, સરળતાથી અને પરમાનંદના ધ્યાનથી આત્મા શુક્લધ્યાનની દુનિયામાં પ્રવેશ કરે છે.
શુક્લધ્યાનના પણ ચાર પ્રકાર બતાવાયા છે. આવતી કાલે એ પ્રકારોને આપણે એક પછી એક જોઈશું અને સાથે સાથે યોગની આઠ દૃષ્ટિઓની વિવેચના પણ કરીશું.
આજે બસ, આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org