SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૩ ૧૫૩ પણ ધ્યાન કરી શકાય છે. આ જ વાત ધ્યાનશતકમાં વાંચવા મળે છે ઃ जच्चिय देहावत्था जियाणं झाणोपरोहिणी होइ । झाइज्जा तदवत्थो ठिओ निसण्णो निवण्णो च ||३९|| દૃષ્ટિ સ્થિર રહેવી જોઈએ. શ્વાસોશ્વાસની ગતિ મંદ રહેવી જોઈએ. બાહ્ય વિષયોમાં અલગાવ-અનાસક્તિ હોવી જોઈએ. --- - ઊંઘ-ભય અને આળસનો અભાવ હોવો જોઈએ. બધા પ્રકારની ચિંતાઓના પાશથી સાધકે મુક્ત હોવું જરૂરી છે. આ રીતે ધર્મધ્યાનમાં લીન જીવ આત્મવિકાસમાં શીઘ્ર ગતિથી અગ્રેસર બન્ને છે. - - ધર્મધ્યાનના ચાર પ્રકાર : ધર્મધ્યાનના ચા૨ પ્રકાર બતાવાયા છે. આ અંગે યોગશાસ્ત્રમાં કહ્યું છે ઃ आज्ञापायविपाकानां संस्थानस्य च चिन्तनात् । इत्थं वा ध्येयभेदेन धर्मध्यानं चतुर्विधम् ॥ (૧) આજ્ઞાવિચય (૨) અપાયવિચય (૩) વિપાકવિચય અને (૪) સંસ્થાનવિચય - આ રીતે ધર્મધ્યાનના ૪ પ્રકા૨ છે. આ પ્રકારો ધ્યેયની ભિન્નતાને અવલંબીને બતાવ્યા છે. વિચયનો અર્થ છે ચિંતન. ચાર પ્રકારના ચિંતન જ ચાર પ્રકારના ધર્મધ્યાનનાં રૂપ છે. (૧) આજ્ઞાવિચય : આ ધ્યાનમાં તીર્થંકર ભગવંતોના ઉપદેશવચનોનું ચિંતન કરવામાં આવે છે. તીર્થંક૨ સર્વજ્ઞ હોય છે. માટે એમના ઉપદેશમાં કોઈ પણ જાતની ત્રુટિની સંભાવના નથી. એમનો ઉપદેશ તર્કથી બાધિત નથી હોતો કે અસત્ય વાણી તેઓ વદતા નથી. (૨) અપાયવિચય : રાગ-દ્વેષ વગેરે કષાય તથા પ્રમાદ દ્વારા ઉત્પન્ન થનાર કષ્ટ અને દુર્ગીત વગેરેનું મનન કરવું એ ‘અપાયવિચય ધર્મધ્યાન' છે. (૩) વિપાકવિચય : કર્મોના શુભ-અશુભ ફળને વિપાક કહેવામાં આવે છે. કર્મફળની પળોમાં પેદા થનારી પ્રક્રિયાઓ અંગે વિચારવું, મનન કરવું - એ છે વિપાકવિચય ધર્મધ્યાન. આ ધ્યાન દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની દૃષ્ટિથી કરવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy