________________
૧૦
શ્રાવકજીવન નોકરી છોડી દીધી. ઘેર ગયો. તેની પત્નીએ પૂછ્યું: “આજે નોકરી પર જવાનું નથી કે શું ? જવાનો સમય તો થઈ ગયો. તેણે કહ્યું “કાલે મેં પ્રવચનમાં સાંભળ્યું કે “અનર્થોનું મૂળ અર્થ છે, એટલા માટે મેં પૈસા ન કમાવાનો નિર્ણય કર્યો છે.”
પત્નીએ કહ્યું: “તો પછી ઘર કેવી રીતે ચાલશે? પૈસા વગર ખાશો શું? કપડાં ક્યાંથી લાવશો ? ઘરનું ભાડું કેવી રીતે આપશો ? કંઈ સમજો છો કે નહીં ? સાધુઓનાં પ્રવચન સાંભળીને શું પાગલ થઈ ગયા છો? પૈસા વગર ગૃહસ્થજીવન પશુ સમાન કહ્યું છે. જાઓ નોકરી પર, અને આજથી કદી પ્રવચન સાંભળવાનું નથી. અને જો જશો તો હું મારે પિયર ચાલી જઈશ.”
પછી તે નોકરી કરવા લાગ્યો. જ્યારે મને મળ્યો ત્યારે આખી વિગત સંભળાવી. મેં કહ્યું : “અર્થની અતિ પૃહા અનર્થોનું મૂળ છે. આજીવિકા કમાવી એ તો ગૃહસ્થનું કર્તવ્ય છે.' બધી વાત વિસ્તારપૂર્વક સમજાવી, ત્યાર પછી તેનાં મનનું સમાધાન થયું.
જો તમારી આર્થિક પરિસ્થિતિ સારી ન હોય, બગડેલી હોય, તો તમે અર્થપુરુષાર્થને પ્રાધાન્ય આપો. પ્રાથમિકતા આપો. ધર્મપુરુષાર્થ અને કામપુરુષાર્થને ગૌણ કરો. અર્થહીન સ્થિતિ મનુષ્યને ભ્રમિત કરી દે છે.
કહેવાયું છે કે વુમુક્ષતો કિંરોતિ ને પાપમ્ ભૂખ્યો માણસ કયું પાપ નથી કરતો? આમેય દરિદ્રતા માણસ પાસે કયું પાપ નથી કરાવતી? મનુષ્યની સૌથી ખરાબ અવસ્થા છે દરિદ્રતા - અથભિાવ. ગરીબી મનુષ્યની પાસે ઃ
– ચોરી કરાવે છે. – હિંસા કરાવે છે. – અસત્ય બોલાવે છે. – ક્રોધ કરાવે છે. – માયા-કપટ કરાવે છે. – આત્મહત્યા પણ કરાવે છે.
એટલા માટે મનુષ્ય સુયોગ્ય અર્થોપાર્જન કરવું જોઈએ. છતાં પણ પાપકર્મના - અંતરાય કર્મનો પ્રબલ ઉદય હોય તો અર્થપ્રાપ્તિ નથી પણ થતી. તો ધર્મને ચરણે જીવન સમર્પિત કરી દો. આત્મકલ્યાણનો માર્ગ સ્વીકારી લો. अप्पेण बहुमेसेज्जा :
બુદ્ધિશાળી પુરુષનું આ લક્ષણ છે કે તે અલ્પ પ્રયત્નથી વધારે પ્રાપ્તિનો ઉપાય કરે છે. અલબત્ત, અર્થપ્રાપ્તિમાં મુખ્ય કારણ લાભાન્તરાય કમ” નો ક્ષયોપશમ હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org