________________
ભાગ ૩
૧પ૧ રૌદ્રધ્યાન :
રૌદ્રધ્યાન પણ અશુભ-અપ્રશસ્ત ધ્યાન છે. આમાં કુટિલ ભાવોનું ચિંતન હોય છે. જીવ તમામ જાતના પાપાચાર કરવામાં ઉધત હોય છે. એ નિર્દય અને ક્રૂર કાયમાં ડૂબેલો રહે છે. એટલા માટે રુદ્રજીવના ભાવોને રૌદ્ર કહેવામાં આવે છે.
જ્ઞાનાર્ણવ' ગ્રંથમાં કહેવાયું છે : દ્રશ્ય વહુ માવો વા રૌદ્રષિત્યમથી તે ! આ ધ્યાનમાં હિંસા, જુઠ, ચોરી અને ધનરક્ષામાં મનનું લીન હોવું તથા ભેદન-છેદન વગેરે દુષ્પવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ ધ્યાનના પણ ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે. સાંભળો ખૂબ એકાગ્ર બનીને..
(૧) હિંસાનંદ રોદ્રધ્યાન: બીજાં પ્રાણીઓને મારવા કે મરાવવા, અન્ય જીવોને કાપવા, છેદવા અથવા વધ-બંધન દ્વારા પીડિત કરવા અને એમાં ખુશ થવું - રાજી થવું, આને હિંસાનંદ' નામક આર્તધ્યાન કહેવામાં આવે છે.આવા ધ્યાનમાં રાચનાર જીવ નિર્ગુણ, નિર્દય, કૃતઘ્ન, હોય છે. એ નરકગામી હોય છે. એ કુટિલ, માયાવી અને ઈર્ષાળું હોય છે.
(૨) મૃષાનંદ રૌદ્રધ્યાનઃ અસત્ય, ખોટી કલ્પનાઓથી દોરવાઈને બીજાને દગો દેવાના અને ઠગવાના વિચારો કર્યા કરવા, એ મૃષાનંદ રૌદ્રધ્યાન છે. મૃષાનંદી મનુષ્ય મનોવાંછિત મેળવવા માટે સત્યને અસત્ય અથવા અસત્યને સત્યના શણગાર સજાવીને લોકોને ઠગ્યા કરે છે અને પોતાની જાતને વધુ પડતી હોશિયાર સમજે છે.
(૩) ચૌયનંદ રૌદ્રધ્યાન ઃ ચોરીને લગતાં કાર્યો, ઉપદેશો અને ચોરીની પ્રવૃત્તિઓમાં હોશિયારી દર્શાવવી, એને ચૌયનંદ રોદ્રધ્યાન કહેવાય છે. આ ધ્યાનની અન્તર્ગત ચોરીનાં કાર્ય માટે નિરંતર વ્યાકુળ રહેવું, વ્યગ્ર-ચિંતિત રહેવું અથવા બીજાની સંપત્તિ લુંટીને ખુશ થવાનું અથવા બીજાની સંપત્તિ પર હાથ મારવાના ઉપાયો બતાવવા વગેરે વાતો પણ આ ધ્યાનમાં સમાય છે.
(૪) સંરક્ષણાનંદ રૌદ્રધ્યાનઃ અતિકૂર ભાવો સાથે તીણ અસ્ત્ર-શસ્ત્રથી સજ્જ થઈને શત્રુઓનો નાશ કરવો, એમની સંપત્તિને પોતાના તાબામાં લેવી, એના ભોગસુખમાં ડૂબી જવું, આવી બધી ઈચ્છાઓને સંરક્ષણાનંદ રૌદ્રધ્યાન તરીકે ઓળખવામાં આવે છે. વળી શત્રુથી ડરીને પોતાના ધન-સ્ત્રી-પુત્ર, રાજ્ય વગેરેના રક્ષણ માટે જાતજાતની અને ભાતભાતની ચિંતા કરવી, વિકલ્પો કર્યા કરવા - એનો સમાવેશ પણ આ જ ધ્યાનમાં કરવામાં આવે છે.
આ રીતે રૌદ્રધ્યાન કરનાર સૌપ્રથમ અપધ્યાનમાં ડૂબેલો રહે છે અને બીજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org