SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૩ કેવી હોવી જોઈએ ? એ સમજાવવા માટે કહેવાયું છે કે ધ્યાતા પરિગ્રહનો ત્યાગી હોવો જોઈએ. કષાયોનો નિગ્રહ કરનાર જોઈએ. વ્રતોને ધારણ કરનાર જોઈએ. મનોજય અને ઇન્દ્રિયવિજય કરવાવાળો જોઈએ. ધ્યાનની સિદ્ધિ માટે યોગીએ પોતાના ચિત્તનું દુષ્મન, વચન-વાણીનો અસંયમ અને કાયાની ચંચળતાનો ત્યાગ કરવાનો છે. ત્યારે જ એ તત્ત્વમાં તલ્લીનતા પ્રાપ્ત કરી શકાય છે. આ વાત યોગસાર' નામના ગ્રંથમાં સ્પષ્ટ કરવામાં આવી છે : निरुन्ध्यात् चित्तदुर्थ्यानं निरुन्ध्यादयतं वचः । निरुन्ध्यात् कायचापल्यं तत्त्वतल्लीनमानसः ॥ : અન્યત્ર ધ્યાનના પાંચ હેતુ બતાવવામાં આવ્યા છે ઃ વૈરાગ્ય, તત્ત્વજ્ઞાન, નિગ્રન્થતા, સમચિત્તતા અને પરિષહજય. આ પાંચ ધ્યાનના હેતુ છે. તત્ત્વાનુશાસનમાં ચાર હેતુ પણ બતાવવામાં આવ્યા છે : ગુરુ-પદેશ, શ્રદ્ધા, સવા અભ્યાસઃ અને સ્થિરમનઃ । મનની, ચિત્તની નિર્મળતા, શુદ્ધિ એ જ યથાર્થ શુદ્ધિ છે. આના વગર ધ્યાન, વ્રત, જપ વગેરેનો કોઈ બહુ અર્થ નથી. મનની શુદ્ધિ વગર વ્રતોનું અનુષ્ઠાન એ માત્ર શરીરને કષ્ટ આપવાથી વધુ કાંઈ નથી. મનઃશુદ્ધિ માટે ઇન્દ્રિયજય અને કષાયજય કરવો અતિ આવશ્યક છે. ૧૪૯ ધ્યાનના ચાર પ્રકાર : આપણા જૈન આગમગ્રંથોમાં અને યોગસંબંધી અન્ય સાહિત્યમાં ધ્યાનના પ્રમુખ ચાર પ્રકારોનો ઉલ્લેખ મળે છે ઃ (૧) આર્તધ્યાન (૨) રીદ્રધ્યાન (૩) ધર્મધ્યાન (૪) શુક્લધ્યાન. આમાં પહેલા બે ધ્યાન આર્ટ અને રૌદ્ર અપ્રશસ્ત, અશુભ છે. જ્યારે ધર્મ અને શુક્લ પ્રશસ્ત અને શુભ ધ્યાન છે. અપ્રશસ્ત ધ્યાન દુઃખ આપનારા બને છે, જ્યારે પ્રશસ્ત ધ્યાન મોક્ષપ્રાપ્તિ માટે સહાયક નીવડે છે. પહેલા હું તમને આર્તધ્યાનના વિષયમાં થોડું સમજાવી દેવા માગું છું. આર્તધ્યાન ઃ દુઃખના કારણે અથવા તો દુઃખમાં થનારા ધ્યાનને આર્તધ્યાન કહેવામાં આવે છે. અથવા મનોજ્ઞ-મનપસંદ વસ્તુ કે વ્યક્તિના વિયોગ અને અમનોજ્ઞ (નાપસંદ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy