________________
૧૪૮
શ્રાવકજીવન હોય છે. બૌદ્ધદર્શનનું કહેવું છે કે સૌમનસ્ય અને દૌમનસ્યના અસ્ત થવાની સાથે જ સુખ અને દુઃખ પણ નષ્ટ થઈ જાય છે. આ રીતે યોગી સમદર્શી અવસ્થા સુધી પહોંચી જાય છે. આ પ્રમાણે બૌદ્ધદર્શનમાં પણ પોતાની અકુશલ પ્રવૃત્તિઓ ત્યજીને એકાગ્રતાથી ચિત્તસ્વરૂપને જાણવા માટે સમાધિને સાધન તરીકે સ્વીકારવામાં આવી છે. જેનદર્શનમાં યોગ, ધ્યાન અને સમાધિ :
જૈનદર્શનમાં સંયમ અથવા ચારિત્રની શુદ્ધિ અને વૃદ્ધિ માટે ધ્યાનને સર્વોત્તમ સાધન માનવામાં આવે છે. “ચિત્ત’ને કોઈ એક વિષય ઉપર કેન્દ્રિત કરવું એનું નામ છે ધ્યાન !
ધ્યાનને નિર્જરા અને સંવરનું કારણ પણ બતાવાયું છે. તત્ત્વાનુશાસન' નામના ગ્રંથમાં કહ્યું છેઃ '
તધ્યાનું નિર્જરા તું સંવરી ૩ Rામું પરંતુ ચિત્તને કોઈ એક વસ્તુ અથવા એકાદ બિન્દુ ઉપર કેન્દ્રિત કરવું સહેલું નથી. કારણ કે ચિકનો સ્વભાવ જ ચંચળતા છે – કોઈ પણ વિષયમાં અન્તર્મુહૂર્તથી વધારે સ્થિર રહી શકતું નથી. લીન બની શકતું નથી. જો સ્થિર થઈ જાય તો એ ચિંતન કહેવાશે કાં પછી આલંબનની ભિન્નતાનાં કારણે બીજું ધ્યાન કહેવાશે.
યોગી જ્યારે ધ્યાનમાં તન્મય બની જાય છે ત્યારે એને દ્વૈતનું જ્ઞાન રહેતું નથી. એ તમામ જાતના રાગદ્વેષ વગેરેથી ઉપર ઊઠીને ચિત્તસ્વરૂ૫ આત્માના જ ધ્યાનમાં ડૂબી જાય છે. આ પ્લાનને સમરસીભાવ' અથવા “સવીર્યધ્યાનપણ કહેવામાં
આવે છે. - તત્ત્વાર્થસૂત્રમાં કહેવાયું છેઃ
उत्तमसंहननस्यैकाग्रचिन्तानिरोधो ध्यानम् । ઉત્તમ સંઘયણવાળાનું એકાગ્ર ચિંતાનિરોધ એ ધ્યાન છે. વાસ્તવમાં તીર્થકરોએ ધ્યાતા-ધ્યેય અને ધ્યાનની એકાત્મતાને જ ધ્યાન કહેલું છે. જેના દ્વારા ધ્યાન કરવામાં આવે છે એ ધ્યાતા કહેવાય છે, જેનું ધ્યાન કરવામાં આવે છે એ ધ્યેય છે અને ધ્યાતાનું ધ્યેયમાં સ્થિર થવું એ ધ્યાન છે. આ કથન “તવાનુશાસનનું છે.
ध्यायते येन तद् ध्यानं यो ध्यायति स एव वा ।
यत्र वा ध्यायते यदा ध्यातिर्वा ध्यानमिष्यते ॥ ધ્યાન કોણ કરી શકે છે?
આ વાત અતિ મહત્ત્વની છે. ધ્યાન કોણ કરી શકે છે? ધ્યાતાની યોગ્યતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org