________________
ભાગ ૩
૧૪૭
કહેવામાં આવે છે. આનાથી પ્રજ્ઞા ઋતંભરા બને છે અને એના દ્વારા સાધક અસંપ્રજ્ઞાત સમાધિને પ્રાપ્ત કરીને કૈવલ્ય મેળવી લે છે.
બૌદ્ધદર્શનમાં ધ્યાન ઃ
વૈદિક પરંપરાની જેમ બૌદ્ધદર્શનમાં પણ ચિત્તની સ્થિરતા પ્રાપ્ત કરવા માટે ધ્યાનનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. આ દર્શન કહે છે ઃ ધ્યાનનો ઉદ્દેશ્ય નિવણિમુક્તિની પ્રાપ્તિ એ જ છે. ‘હીનયાન પરંપરા' મુજબ નિર્વાણની પ્રાપ્તિ એ જ જીવનનું ચરમ અને પરમ લક્ષ્ય છે. અર્હત્પદની પ્રાપ્તિ પ્રધાન લક્ષ્ય છે. અર્હત્પદની પ્રાપ્તિ માટે ચાર પ્રકારના આયતન બતાવવામાં આવ્યા છે ઃ
૧. આકાશાનન્યાયતન,
૨. વિજ્ઞાનાનન્યાયતન, ૩. અકિંચનાયતન,
૪. દૈવસંજ્ઞાનાનાસંજ્ઞાયતન.
સાધક જ્યારે આ ચારે આયતનોને પાર કરીને અંતિમ અવસ્થાની પેલે પાર પહોંચે છે ત્યારે એને નિર્વાણની પ્રાપ્તિ થાય છે.
‘મહાયાન પરંપરા’ મુજબ બુદ્ધત્વની પ્રાપ્તિ કરવી એ જ પરમ ઉદ્દેશ્ય છે અને જ્યાં સુધી પ્રજ્ઞા-પારમિતાનો ઉદય ન થાય ત્યાં સુધી બુદ્ધત્વની પ્રાપ્તિ થતી નથી. પ્રજ્ઞા પારમિતાના ઉદય માટે સમાધિ અતિ આવશ્યક છે. સમાધિના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે.
પ્રથમ પ્રકાર છે – વિતર્ક વિચાર-પ્રીતિસુખ એકાગ્રસહિત :
આ સમાધિ, વિષયભોગ અને અકુશલ પ્રવૃત્તિઓથી જુદા રહીને વિતર્ક અને વિચારથી ઉત્પન્ન પ્રીતિ અને સુખની સંવાહક છે. આમાં ચિત્ત હંમેશાં ચંચળ રહ્યા કરે છે.
બીજો પ્રકાર છે - પ્રીતિસુખ એકાગ્રસહિત :
આ સમાધિમાં વિતર્ક અને વિચારો નહિ રહેવાથી ચિત્ત એકદમ શાંત રહે છે અને પ્રીતિ, સુખ અને એકાગ્ર - આ ત્રણ અંગો શેષ રહેવાનાં કારણે આ સમાધિ (ધ્યાન) આન્તરિક ચિત્તની એકાગ્રતાસહિત પ્રીતિસુખયુક્ત હોય છે.
ત્રીજો પ્રકાર છે - સુખ એકાગ્રસહિત :
આ ધ્યાનમાં યોગી સ્મૃતિ અને સંપ્રજન્યયુક્ત થઈને સુખની અનુભૂતિ કરે છે. ચોથો પ્રકાર છે - એકાગ્રતાસહિત :
આ ધ્યાનમાં સુખ-દુઃખનો સવાલ જ ઊભો નથી થતો ! તમામ વૃત્તિઓ શાંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org