________________
ભાગ ૩
૧૪૧
આ વૃત્તિસંક્ષયયોગ, જ્યારે આત્માને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ત્યારે થાય છે અને જીવ જ્યારે ૧૪મા ગુણસ્થાનકે પહોંચીને અયોગી બને છે ત્યારે હોય છે. ફરી વાર વૃત્તિઓ ન જાગે એ રીતે જ આ વૃત્તિસંક્ષયયોગ થાય છે. આ વૃત્તિસંક્ષયયોગનું ફળ બતાવતા ગ્રંથકાર મહર્ષિ કહે છે : अतोऽपि केवलज्ञानं शैलेषी - संपरिग्रहः । મોક્ષપ્રાપ્તિનાનાથા સવાનન્દ્-વિધાવિની દ્દદ્દા આ યોગનું ફળ એટલે :
– કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
– શૈલેષી - સર્વસંવરની ઉપલબ્ધિ થાય છે.
– મોક્ષપ્રાપ્તિ-નિર્વાણપ્રાપ્તિ થાય છે.
મોક્ષમાં કોઈ પણ જાતની શારીરિક કે માનસિક વ્યથા-વેદના રહેતી નથી. ત્યાં હોય છે માત્ર સર્વકાલનો આનંદ ! આનંદ અને આનંદ !!! ઉપસંહાર ઃ
આ પ્રમાણે યોગ દ્વારા સાધક આત્મશક્તિની ઓળખાણ કરે છે. યોગસાધનાથી યોગીને અનેક લબ્ધિઓની ઉપલબ્ધિ થાય છે, પણ આનો પ્રયોગ એ યોગીજનો લોભવૃત્તિને પંપાળવા માટે કરતા નથી.
યોગી, યોગ દ્વારા બીજાના મનની વાતને જાણી શકે છે. યોગી સર્વજ્ઞ પણ બની શકે છે. અંતિમ અવસ્થા - સિદ્ઘાવસ્થાને પ્રાપ્ત કરે છે. જ્યારે ચાર અઘાતી કર્મોનો ક્ષય થાય છે ત્યારે મોક્ષાવસ્થા પ્રાપ્ત થાય છે. ત્યાં આત્માનું પોતાનું સ્વતંત્ર અને શાશ્વત્ અસ્તિત્વ હોય છે. આત્મા જન્મ-મરણના ચકરાવાથી છૂટી જાય છે. આવી પૂર્ણાવસ્થા, યોગાભ્યાસ દ્વારા તમે સહુ પ્રાપ્ત કરો એવી મંગલકામના. આજે બસ, આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org