________________
ભાગ ૩
૧૩૯ – જ્ઞાન-દર્શન-ચારિત્રવિષયક શુભ અભ્યાસની અનુકૂળતા મળે છે. - ચિત્તશુદ્ધિમાં વધારો થાય છે. આ છે ભાવનાયોગનું ફળ. ત્રીજો છે ધ્યાનયોગઃ ધ્યાનયોગનું વર્ણન કરતા ગ્રંથકારે લખ્યું છેઃ
शुभैकालंबनं चित्तं ध्यानमाहुर्मनीषिणः ।
स्थिरः प्रदीपसदृशं सूक्ष्माभोगसमन्वितम् ॥ ધ્યાનયોગમાં – ધર્મધ્યાન - શુક્લધ્યાનનો સમાવેશ થાય છે. – ચિત્તમાં પ્રશસ્ત વિષયોનું ચિંતન ચાલ્યા કરે છે. એક વિષય ઉપર જ ચિત્ત
સ્થિર રહે છે. – ચિત્ત સ્થિર દીપક જેવું બની જાય છે. દીપકની જ્યોત જેમ હવારહિત ખંડમાં હાલતા-ચાલતી નથી, પણ સ્થિર રહે છે એમ ધ્યાનયોગીનું ચિત્ત સૂક્ષ્મ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વગેરે પદાર્થોનાં ચિંતનમાં સ્થિર બની જાય છે – લીન
બની જાય છે. આ ધ્યાનનું ફળ વર્ણવતા ગ્રંથકાર કહે છે : वशिता चैव सर्वत्र भावस्तैमित्यमेव च ।
अनुबन्ध-व्यवच्छेदः उदर्कोऽस्येति तद्विदः ॥३६२।। ધ્યાનયોગથી યોગીઃ – તમામ કાર્યોમાં સફળતાને વરે છે. – તિમિતભાવતા એટલે કે સાગરના જેવી મનની સ્થિરતા પ્રાપ્ત કરે છે. – ભવાંતરનો પ્રારંભ કરનારા જે કર્મો પૂર્વે ઉપાર્જિત કરેલા હોય છે, એ કર્મોનો
ઉચ્છેદ થઈ જાય છે. આનાથી યોગી સમતાયોગ તરફ ગતિ કરે છે. ચોથો છે સમતાયોગ : સમતાયોગનું વર્ણન આ પ્રમાણે છે :
अविद्याकल्पितेश्च्चैरिष्टानिष्टेषु वस्तुषु । संज्ञानात् तद्व्युदासेन समता समतोच्यते ॥३६३।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org