________________
૧૩૮
શ્રાવકજીવન – જિનપ્રણીત તત્ત્વોનું ચિંતન હોય એટલે કે જીવ-અજવાદિ પદાર્થોનું
પયલિોચન હોય. - મૈત્રી - પ્રમોદ - કરુણા અને માધ્યચ્ય ભાવનાઓ હોય, એ યોગ
અધ્યાત્મયોગ’ કહેવાય છે. અધ્યાત્મયોગનું ફળ વર્ણવતા ગ્રંથકાર કહે છે?
अतः पापक्षयः सत्त्वं शीलं ज्ञानं च शाश्वतम् ।
तथानुभव-संसिद्धममृतं हाद एव तु ॥ આ અધ્યાત્મયોગથી - પાપક્ષય થાય છે. એટલે કે જ્ઞાનાવરણાદિ ક્લિષ્ટ કર્મોનો નાશ થાય છે. – સત્ત્વ ઉલ્લસિત થાય છે. આત્મવીય ઉછાળા મારે છે. - શીલ એટલે ચિત્તની સમાધિ પ્રાપ્ત થાય છે. - અપ્રતિઘાતિ - શાશ્વત - શુદ્ધ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. – સ્વસંવેદન-સિદ્ધ અમૃતની પ્રાપ્તિ થાય છે.' - અતિદારુણ મોહવિષના વિકારો નષ્ટ થઈ જાય છે. બીજો છે ભાવનાયોગ :
अभ्यासोऽस्यैव विज्ञेयः प्रत्यहं वृद्धिसंगतः ॥ .. मनःसमाधिसंयुक्तः पौनःपुन्येन भावना ।।३५९।। આ અધ્યાત્મયોગનો પુનઃ પુનઃ અભ્યાસ કરવો એ જ ભાવનાયોગ છે. – દરરોજ અભ્યાસ કરવાનો છે. – દરરોજ એ અભ્યાસમાં સમુત્કર્ષનો અનુભવ થવો જોઈએ અને મન
સમાધિમાં રમતું રહેવું જોઈએ. અહીં મનની સમાધિ એટલે મનનો નિરોધ. આ ભાવનાયોગનું ફળ જે બતાવાયું છે તે
निवृत्तिरशुभाभ्यासाच्छुभाभ्यासानुकूलता ।
तथा सुचित्तवृद्धिश्च भावनायाः फलं मतम् ॥ આ ભાવનાયોગથી ? - કામ-ક્રોધ-લોભ વગેરે અશુભ તત્ત્વોથી નિવૃત્તિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org