________________
ભાગ ૩
૧૩૭ બીજો છેશાસ્ત્રયોગ :
शास्त्रयोगस्तिह ज्ञेयो यथाशक्त्यऽप्रमादिनः ।
श्राद्धस्य तीव्रबोधेन वचसाऽविकलस्तथा ॥ આ યોગમાં સાધક પ્રમાદનો ત્યાગ કરીને પોતાની શક્તિ મુજબ શ્રદ્ધાયુક્ત થઈને અનુષ્ઠાન કરે છે. આ સાધકનું શાસ્ત્રજ્ઞાન સારું હોય છે, એ દોષરહિત ધર્માનુષ્ઠાન કરે છે. ત્રીજો છે સામર્થ્યયોગ :
शास्त्रसंदर्शितो प्रायस्तदतिक्रान्तगोचरः ।
शक्त्युदेकाद्विशेषेण सामर्थ्याख्योऽयमुत्तमः ॥ શાસ્ત્ર(યોગશાસ્ત્રમાં બતાવેલા ઉત્તમ અનુષ્ઠાનોને સાધક યોગી પોતાની શક્તિ અને સામર્થ્યના ઉદ્રેકથી, મોક્ષપ્રાપ્તિ માટે આરાધે છે. આ સામર્થ્યયોગ છે. આ યોગ પ્રાતિજજ્ઞાનથી યુક્ત અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરાવનાર છે. આ યોગના સાધક આત્માનો અનુભવ વચનાતીત હોય છે. જાણે કે ગૂંગે કેરી શર્કરા.” વોબિન્દુમાં પાંચ પ્રકારના યોગ :
યોગબિન્દુ ગ્રંથમાં આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ આધ્યાત્મિક વિકાસના પાંચ સોપાન બતાવ્યાં છે ? ૧. અધ્યાત્મયોગ
૨. ભાવનાયોગ ૩. ધ્યાનયોગ
૪. સમતાયોગ ૫. વૃત્તિસંક્ષયયોગ
આ યોગસાધનાના પ્રભાવે ક્રમશઃ ચારિત્રનો વિકાસ થાય છે. આજે હું અહીં આ પાંચ યોગોનો સંક્ષિપ્ત પરિચય કરાવવા માગું છું. આ પરિચય પછી પ્રવચન પૂર્ણ થશે. પહેલો છે અધ્યાત્મયોગઃ
औचित्याद् वृत्तयुक्तस्य वचनात्तत्त्वचिंतनम् । मैत्र्यादिसारमत्यन्त मध्यात्म तद्विदो विदुः ॥३५७॥ - જે યોગમાં ઉચિત પ્રવૃત્તિ હોય. – વ્રતયુક્તતા હોય (અણુવ્રત હોય અથવા મહાવ્રત હોય.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org