________________
૧૩૧
શ્રાવક-શ્રાવિકાઓ પણ શ્રમણની જેમ સંપૂર્ણપણે અપરિગ્રહી બનીને વૈરાગ્ય ધારણ કરીને યોગસાધનામાં સંલીન થઈ શકે છે. શ્રમણ અને શ્રાવકો માટે ‘ચારિત્રવિકાસ’ માટે ‘સમવાયાંગ સૂત્ર’માં ‘યોગસંગ્રહ’નું નિરૂપણ કરવામાં આવ્યું છે. યોગસાધકો માટે એ અતિ ઉપયોગી હોવાથી અહીં તમને એ યોગસંગ્રહની ૩૨ વાતો બતાવું છું !
ભાગ ૩
(૧) પહેલો યોગ છે આલોચના ઃ ગુરુ પાસે જઈને વિધિપૂર્વક પોતાના દોષો પ્રગટ કરીને પ્રાયશ્વિત સ્વીકારવું.
(૨) બીજો યોગ છે નિરપલાપ ; બીજાની સમક્ષ પોતાના શિષ્યો કે આશ્રિતોના દોષો ઉઘાડા નહીં પાડવા.
(૩) ત્રીજો યોગ છે વ્રતસ્થિરતા ઃ આપત્તિકાળમાં અંગીકાર કરેલા નિયમોનો પરિત્યાગ નહીં કરવો.
-
(૪) ચોથો યોગ છે અનિશ્ચિતોપધાન ઃ આનો અર્થ છે બીજાની સહાયતા વગર તપશ્ચર્યા કરવી.
(૫) પાંચમો યોગ છે શિક્ષા : ધર્મગ્રંથોનું વાંચન-અધ્યયન કરતા રહેવું. (૬) છઠ્ઠો યોગ છે નિષ્પતિકર્મતા ઃ શરીરને શણગારવું નહીં.
(૭) સાતમો યોગ છે અજ્ઞાનતા ઃ તપના વિષયમાં ગુપ્તતા રાખવી. સાધક જે તપ કરે, એને પ્રગટ ન કરે, પણ ગુપ્ત રાખે.
0
(૮) આઠમો યોગ છે અલોભ : કોઈ પણ વસ્તુનો લોભ નહીં રાખવો. (૯) નવમો યોગ છે તિતિક્ષા પરિષહોને, કષ્ટોને સમતાભાવે સહન કરવા. (૧૦) દસમો યોગ છે ૠજુતા : મનમાં સરળતા રાખવી.
:
(૧૧) અગિયારમો યોગ છે શુચિ ઃ સત્યનું પાલન કરવું અને સંયમવૃદ્ધિ
કરવી.
(૧૨) બારમો યોગ છે સમ્યગ્દર્શન ઃ તત્ત્વશ્રદ્ધા રાખવી.
(૧૩) તેરમો યોગ છે સમાધિ ઃ મનને સ્થિર અને પ્રસન્ન રાખવું.
(૧૪) ચૌદમો યોગ છે આચાર સાધકે પોતાના આચારોમાં દૃઢ રહેવું જોઈએ. શ્રાવકે શ્રાવકાચારોમાં અને સાધુએ સાધ્વાચારમાં.
(૧૫) પંદરમો યોગ છે વિનય ઃ સાધક વિનયી હોવો જોઈએ.
(૧૬) સોળમો યોગ છે ધૃતિ ઃ કૃતિ એટલે ધૈર્ય-ધી૨જ. દુઃખોના ડુંગર વચ્ચે પણ અવિચળ પ્રકૃતિભાવ જાળવવો જોઈએ. સ્વસ્થતા બરકરાર રહેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org