SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ શ્રાવક-શ્રાવિકાઓ પણ શ્રમણની જેમ સંપૂર્ણપણે અપરિગ્રહી બનીને વૈરાગ્ય ધારણ કરીને યોગસાધનામાં સંલીન થઈ શકે છે. શ્રમણ અને શ્રાવકો માટે ‘ચારિત્રવિકાસ’ માટે ‘સમવાયાંગ સૂત્ર’માં ‘યોગસંગ્રહ’નું નિરૂપણ કરવામાં આવ્યું છે. યોગસાધકો માટે એ અતિ ઉપયોગી હોવાથી અહીં તમને એ યોગસંગ્રહની ૩૨ વાતો બતાવું છું ! ભાગ ૩ (૧) પહેલો યોગ છે આલોચના ઃ ગુરુ પાસે જઈને વિધિપૂર્વક પોતાના દોષો પ્રગટ કરીને પ્રાયશ્વિત સ્વીકારવું. (૨) બીજો યોગ છે નિરપલાપ ; બીજાની સમક્ષ પોતાના શિષ્યો કે આશ્રિતોના દોષો ઉઘાડા નહીં પાડવા. (૩) ત્રીજો યોગ છે વ્રતસ્થિરતા ઃ આપત્તિકાળમાં અંગીકાર કરેલા નિયમોનો પરિત્યાગ નહીં કરવો. - (૪) ચોથો યોગ છે અનિશ્ચિતોપધાન ઃ આનો અર્થ છે બીજાની સહાયતા વગર તપશ્ચર્યા કરવી. (૫) પાંચમો યોગ છે શિક્ષા : ધર્મગ્રંથોનું વાંચન-અધ્યયન કરતા રહેવું. (૬) છઠ્ઠો યોગ છે નિષ્પતિકર્મતા ઃ શરીરને શણગારવું નહીં. (૭) સાતમો યોગ છે અજ્ઞાનતા ઃ તપના વિષયમાં ગુપ્તતા રાખવી. સાધક જે તપ કરે, એને પ્રગટ ન કરે, પણ ગુપ્ત રાખે. 0 (૮) આઠમો યોગ છે અલોભ : કોઈ પણ વસ્તુનો લોભ નહીં રાખવો. (૯) નવમો યોગ છે તિતિક્ષા પરિષહોને, કષ્ટોને સમતાભાવે સહન કરવા. (૧૦) દસમો યોગ છે ૠજુતા : મનમાં સરળતા રાખવી. : (૧૧) અગિયારમો યોગ છે શુચિ ઃ સત્યનું પાલન કરવું અને સંયમવૃદ્ધિ કરવી. (૧૨) બારમો યોગ છે સમ્યગ્દર્શન ઃ તત્ત્વશ્રદ્ધા રાખવી. (૧૩) તેરમો યોગ છે સમાધિ ઃ મનને સ્થિર અને પ્રસન્ન રાખવું. (૧૪) ચૌદમો યોગ છે આચાર સાધકે પોતાના આચારોમાં દૃઢ રહેવું જોઈએ. શ્રાવકે શ્રાવકાચારોમાં અને સાધુએ સાધ્વાચારમાં. (૧૫) પંદરમો યોગ છે વિનય ઃ સાધક વિનયી હોવો જોઈએ. (૧૬) સોળમો યોગ છે ધૃતિ ઃ કૃતિ એટલે ધૈર્ય-ધી૨જ. દુઃખોના ડુંગર વચ્ચે પણ અવિચળ પ્રકૃતિભાવ જાળવવો જોઈએ. સ્વસ્થતા બરકરાર રહેવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy