SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ મનના ચાર પ્રકાર : ‘યોગશાસ્ત્ર’માં કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચન્દ્રસૂજીિએ મનના ચાર પ્રકારો બતાવ્યા છે ઃ ૧. વિક્ષિપ્ત મન, ૨. યાતાયાત મન, ૩. શ્લિષ્ટ મન, ૪. સુલીન મન. વિક્ષિપ્ત મન એકદમ ચંચળ અને અસ્થિર જેવું હોય છે. - યાતાયાતમાં મનના સ્વભાવની ચંચળતા થોડી ઓછી થઈ જાય છે. યોગસાધના કરનારાઓએ સહુ પહેલા આ બે પ્રકારના મન ઉપર નિયંત્રણ કરવું બહુ જરૂરી હોય છે. પ્રારંભમાં સાધકની સ્થિતિ મર્કલીલાની જેમ થઈ જાય છે. એ ક્ષણે ક્ષણે એક વિષયથી બીજા વિષયમાં રખડ્યા કરે છે. એનાં પરિણામે એ અનેક કર્મપ્રકૃતિઓ બાંધે છે. ચિત્તની વિકલતા ધતી જાય છે. અલબત્ત, વિક્ષિપ્ત મનની અપેક્ષયા યાતાયાત મનમાં ઇન્દ્રિયો ઈંક શાંત રહે છે. પણ એ શાંતિ અલ્પ સમય માટે જ હોય છે. એટલે ભીતરી, લબા સમયની શાંતિ મેળવવા માટે આ બંને મનને શાંત કરવાનો પ્રયાસ યોગાત્માસ ફરનારા યોગીઓ માટે અનિવાર્ય છે, અતિ આવશ્યક છે. શ્લિષ્ટ મનની ભૂમિકા, યાતાયાત મન પછી પ્રારંભાય છે. મનોનિરોધના અભ્યાસથી ચિત્તવૃત્તિઓ શાંત-પ્રશાંત બની જાય છે. સાધકને ભીતરમાં પ્રસન્નતાનો, આંતરિક શાંતિનો અનુભવ થાય છે. શ્રાવકજીવન - સુલીન મનમાં આનંદની અનુભૂતિ હોય છે. ચિત્ત એકાગ્ર થઈને આત્મલીન બની જાય છે. ‘સુલીન મતિઃ નિશ્વલ પરમાનન્દમ્' આ મનના અભ્યાસથી સાધકને પરમાનંદની અનુભૂતિ થાય છે. જો પરમાનંદની અનુભૂતિનો અજવાસ મેળવવો હોય, તો મનને સુલીન બનાવવું જ પડશે. યોગમાર્ગમાં યોગસંગ્રહ' કરો ઃ યોગમાર્ગમાં સાધકે જાતજાતના આચાર-વિચારોનું પાલન સમ્યક્ રીતે કરવું જોઈએ. શ્રાવકોએ અન્નુવ્રત-ગુણવ્રત અને શિક્ષાવ્રતોનું પાલન કરવું જોઈએ. સાધુઓએ સમિતિ-ગુપ્તિની સાથે મહાવ્રતમય ચારિત્રાચારનું પાલન કરવું જોઈએ. શ્રાવક અને શ્રમણો માટે જુદી જુદી આચારમર્યાદાઓ નિશ્ચિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy