SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકજીવન ૧૨૮ બીજો દોષ છે - ઉદ્વિગ્નતા : ઉદ્વેગઃ ઉદ્વિગ્ન મનથી જો ધ્યાન કરશો તો તમને ચિત્તનું સુખ સાંપડી નહીં શકે! જ્યારે ચિત્તતંત્ર ખળભળી ઉઠેલું હોય ત્યારે ધ્યાન કરવાનું ટાળવું જોઈએ. યોગક્રિયા કરવાવાળો સાધક જો ઉદ્વિગ્ન મનથી ધ્યાનમાં ઊતરે છે, તો એ જન્માંતરમાં યોગીકુળ પ્રાપ્ત નથી કરી શકતો. માટે જ્યારે ચિત્તમાં ઉદ્વેગ ના હોય ત્યારે જ ધ્યાન કરવું જોઈએ. ત્રીજો દોષ છે - ક્ષેપ ક્ષેપ એટલે ચિત્તની વિક્ષિપ્તતા! ધ્યાન કરતી વખતે વચ્ચે વચ્ચે મન બીજા વિચારોમાં સરી પડે એને વિક્ષિપ્તતા કહેવાય છે. વિક્ષિપ્ત મનથી ધ્યાન કરશો તો ધ્યાનનું જે ફળ તમને પ્રાપ્ત થવું જોઈએ એ ફળ મળશે નહીં! જેમ દૂધને દહીં બનાવવા માટે સ્થિર રાખવું પડે છે, વારે વારે હલાવ્યા કરવાથી દૂધ દહીંમાં બદલાતું નથી. એવી રીતે ધ્યાનમાં મનને બીજા વિચારોમાં જતું રોકવું જોઈએ. જે રૂ૫સ્વરૂપનું ધ્યાન કરતા હોય મનમાં એ જ રૂપ-સ્વરૂ૫ રમવું જોઈએ. ચોથો દોષ છે - ઉત્થાન : અહીં ઉત્થાનનો એક જુદો જ અર્થ બતાવાયો છે. મનમાં પ્રશાંતવાહિતાનું ના હોવું! ધ્યાન કરતી વેળા ચિત્તમાં પ્રશમનું ઝરણું વહેતું હોવું જોઈએ ! ચિત્ત જો ભારે ભારે અને અતડું અતડું રહેતું હોય, તો ધ્યાન કરવા માટે યોગ્ય નથી રહેતું! પાંચમો દોષ છે - ભ્રાંતિઃ જે જેવું નથી એમાં એવી કલ્પના કરવી એ ભ્રાંતિ છે - ભ્રમણા છે. એક ભાઈ પોતાની પત્ની પ્રત્યે એવી ભ્રમણા ધરાવતા હતા કે “આનો સંબંધ અન્ય પુરુષ સાથે છે.' એમનું મન ધ્યાનમાં લાગતું જ નહોતું! બીજા એક ભાઈ પોતાના નજદીકના મિત્ર પ્રત્યે એવી ભ્રાંતિ સેવતા હતા કે આ માણસ અંદરથી મારો દુશ્મન છે. એમનું મન પણ ધ્યાનમાં ડૂબી શકતું નહોતું! બ્રાન્તચિત્ત ધ્યાન માટે નિતાંત અનુપયુક્ત છે. માટે ચિત્તને નિશ્ચંત બનાવવું બહુ જરૂરી છે. છઠ્ઠો દોષ છે - અન્યમુદ્ ઃ બીજા બીજા ભૌતિક પ્રિય પદાર્થોની પ્રાપ્તિમાં રાજી રાજી થઈ જવું ! એક મહાનુભાવ એક ધ્યાનની શિબિરમાં ભાગ લેવા માટે ગયા. ત્યાંથી આવ્યા પછી એ મને મળ્યા. એમની વાતોમાંથી એક વાતનો હર્ષ ભારોભાર છલકાતો હતો કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy