________________
૧૨૫
ભાગ ૩
(૬) શ્રેષ્ઠ જનપ્રિયતા યોગીપુરુષો જનપ્રિય હોય છે. એમની લોકપ્રિયતા સસ્તી કે તકલાદી નથી હોતી. શ્રેષ્ઠ હોય છે.
(૭) દોષક્ષય : યોગીપુરુષના દોષો નષ્ટ થઈ જાય છે. (૮) પરમતૃપ્તિ યોગીજનો તૃપ્ત હોય છે. કોઈ પણ પદાર્થની કે વ્યક્તિ માટે એમને અતૃપ્તિ-અજંપો હોતો નથી. કારણ કે તેઓ પોતાના આત્મામાં જ તૃપ્ત હોય છે.
(૯) ઔચિત્યપાલનઃ યોગી પોતાના માટેનાં ઉચિત કર્તવ્યોના પાલનમાં તત્પર રહે છે.
(૧૦) શ્રેષ્ઠ સમતા યોગીની સમતા સામાન્ય કક્ષાની નહીં પણ ઉચ્ચકોટિની હોય છે. તેઓ વાતેવાતે વિફરી જતા નથી કે અસ્વસ્થ બનતા નથી. ગમે એવી પરેશાનીમાં પણ એમની સમતા યથાવત્ રહે છે.
(૧૧) વૈરભાવનો નાશ યોગીના મનમાં તો કોઈનાય પ્રત્યે વૈરભાવના રહેતી જ નથી. પણ એની આસપાસમાં વસતા - રહેતા જીવો પ્રાણીઓ પણ હિંસાભાવનો ત્યાગ કરે છે.
(૧૨) ઋતંભરા પ્રજ્ઞા : યોગીપુરુષની બુદ્ધિ માગનિસારિણી હોય છે. વિશદ અને સમજણભરી હોય છે.
આ બાર લક્ષણ સિદ્ધયોગી માટે બતાવાયા છે. કલ્પના કરો કે હવે આવાં . લક્ષણોથી યુક્ત યોગીનું વ્યક્તિત્વ કેટલું મહાન અને માનવંતું હશે ! . - યોગબિંદુ' ગ્રંથમાં યોગીના કેટલાંક વિશેષ લક્ષણો બતાવવામાં આવ્યા છે ?
(૧) સ્થિરતા યોગી સ્થિર સ્વભાવવાળા હોય છે. જે વાતનો સ્વીકાર કરે છે એને પ્રાણાતે પણ જાળવી રાખે છે. સમય વર્તે સાવધાનની સોદાબાજી તેઓ કરતા નથી !
(૨) ધીરતા ગમે એટલા સંકટો આવે કે સમસ્યાઓ સર્જાય, એમની પ્રકૃતિ અવિચલ રહે છે.
(૩) પ્રાતિજ તત્ત્વભાસન સહજ પ્રતિભાના કારણે એમને તત્ત્વનો અવબોધ મળી જતો હોય છે.
(૪) આગ્રહરહિત કયારેક કોઈ પણ જાતનો દુરાગ્રહ કે હઠધર્મિતા યોગીમાં હોતી નથી.
(૫) ક્ષમાશીલતાઃ કોઈ ગમે તેવો અપરાધ કરે, પણ જ્યારે એ અપરાધી ક્ષમા માગી લે તો યોગી તત્કાલ કોઈ પણ જાતનો દુભવ રાખ્યા વગર સહજ રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org