________________
૧૨૪
શ્રાવકજીવન
(૫) મૂત્ર પુરીષ અલ્પ ઃ કલાકો સુધી એક જ સ્થાને, એક જ આસને ધ્યાનસ્થ બનવા છતાંય એને લઘુશંકા કે વડી શંકાની સમસ્યા સતાવતી નથી. પેશાબ અને સંડાસનું પ્રમાણ પણ અલ્પ હોય છે. છતાંય સ્વાસ્થ્ય તદ્દન નિરોગી હોય.
(૬) શરીરની કાંતિ : યોગીનો ચહેરો-મુખાકૃતિ તેજસ્વી, ઉર્જસ્વી, કાંતિયુક્ત હોય છે. એનું વ્યક્તિત્વ પ્રભાવશાળી અને પ્રતિભાસંપન્ન હોય છે.
(૭) પ્રસાદ : એના ચહેરા ઉપર ખેદ, ગ્લાનિ, ઉદાસી નથી આવતી. સદૈવ પ્રસન્નતા અને સ્મિતસભર મોહકતા છવાયેલી હોય છે.
(૮) સ્વર સૌમ્યતાઃ યોગીની વાણી એકદમ સૌમ્ય હોય છે. વાણીમાં આક્રોશ, અભિમાન, અકડાઈ કે બરછટપણું નથી હોતું !
આ આઠ વિશેષતાઓ ‘જ્ઞાનાર્ણવ’ ગ્રંથમાં ર્ણિત છે, જે મેં તમને બતાવી છે. ‘યોગબિંદુ’ ગ્રંથમાં પણ આ વિશેષતાઓ બતાવવામાં આવી છે. બીજી કેટલીક વિશેષતાઓ પણ ત્યાં વર્ણવાયેલી છે.
मैत्र्यादियुक्तं विषयेषु चेतः प्रभाववद् धैर्यसमन्वितं च 1 द्वन्द्वैरधृष्यत्वमभीष्ट लाभो जनप्रियत्वं च तथा परं स्यात् ॥ दोषव्यपायः परमा च तृप्तिरौचित्य योगः समता च गुर्वी । वैरादिनाशोऽथ ऋतूंभरा धी निष्पन्नयोगस्य तु चिह्नमेतत् ॥
આ બધાં લક્ષણો નિષ્પન્નયોગી માટેના છે. હવે આપણે ટૂંકમાં આ વાતોને સમજી લઈએ ઃ
(૧) મૈત્ર્યાદિયુક્ત ચિત્ત : બધા જીવો પ્રત્યે મૈત્રીભાવ, ગુણવાનો પ્રત્યે પ્રમોદઆદર, દુઃખી જીવો પ્રત્યે કરુણા અને પાપોમાં રચ્યાપચ્યા રહેતા જીવો માટે મધ્યસ્થ ભાવ - યોગીના ચિત્તમાં આ ભાવો સદૈવ રમતા હોય છે.
(૨) પ્રભાવશાળી : યોગીનો બીજા જીવો ઉપર વિશેષ પ્રભાવ પડતો હોય છે. (૩) ધૈર્યવાન : યોગીજનો ધીરતાના સાગર હોય છે. દુઃખમાં, દીન કે સંકટમાં હાંફળાફાંફળા બની જતા નથી.
(૪) દ્વન્દ્વોમાં સ્થિર ઃ બધા જીવોના જીવનમાં અનેક પ્રકારના દ્વન્દ્વો આવ્યા જ કરે છે. યોગીપુરુષો એવી પરિસ્થિતિમાં ડરી જતા નથી કે ડગમગી જતા નથી. વ્યાકુળતા કે વિકલતાનો શિકાર બન્યા વગર સ્થિર રહે છે.
(૫) અભીષ્ટ લાભ : યોગીપુરુષ જે પણ ઇચ્છે એને એ સહજતાથી મેળવી શકે છે. એમને ઇષ્ટલાભ સહજ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org