________________
૧૨૨
શ્રાવકજીવન પહેલી છે ષોડશાક્ષર વિઘા.” સોળ અક્ષરો આ વિદ્યામાં રહેલા છે? - अर्हत्सिद्धाचार्योपाध्याय सर्व साधुभ्यो नमः - છ અક્ષરોનો પણ એક મંત્ર છે 'રિહંત સિદ્ધ - ચાર અક્ષરોનો મંત્ર છે 'રિહંત – બે અક્ષરોનો એક મંત્ર છે : 'સિદ્ધ - એક પંચાક્ષરી વિદ્યા છે : 'સિગાડતાં
આ મંત્રવિદ્યાઓનો જાપ કરવાથી સાધક સંસારનાં બંધનો - કર્મોનાં બંધનોને તોડે છે. ગ્રંથિઓને જલાવે છે. એકાગ્ર ચિત્ત અને સ્થિર બુદ્ધિથી આ મંત્રપદોને ધ્યાનમાં ગૂંથીને સાધક મોક્ષની પ્રાપ્તિ પણ કરી શકે છે.
આ રીતે સાધકે - લલાટ ઉપર 'સ્વી વિદ્યાનો
– નાસિકાના અગ્રભાગ ઉપર ૐ નો, ક્યારેક અનાહતનો, કયારેક શૂન્યનો અભ્યાસ જારી રાખવો જોઈએ. આ રીતે ધ્યાન કરવાથી આત્મગુણોની સંપ્રાપ્તિ અને સાથે સાથે નિર્મળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પદસ્થ ધ્યાનમાં ચિત્તને સ્થિર કરવા માટે બીજાક્ષરોનું, મંત્રાક્ષરોનું આલંબન લેવું જોઈએ. રૂપ ધ્યાન
ગ્રંથકારને પ્રસ્તુત વિષયમાં આ ધ્યાન અભીષ્ટ છે. યોગાભ્યાસમાં “સાલંબન ધ્યાન’ની વાત કરતા ટીકાકાર આચાર્યશ્રીએ રૂપસ્થ ધ્યાનનો નિર્દેશ કર્યો છે. આ રૂપસ્થ ધ્યાનની પરિભાષા યોગશાસ્ત્રમાં આ રીતે દર્શાવાઈ છે ?
_ 'अर्हतो रूपमालम्ब्य ध्यानं स्पस्थमुच्यते । અરિહંત-તીર્થંકર પરમાત્માની પ્રતિમાનું ધ્યાન કરવું પડશે. પ્રતિમાની કલ્પના કરવી પડશે. રાગદ્વેષ વગેરે વિકારોથી રહિત શાંત-કાંત વગેરે ગુણોથી સમૃદ્ધ, યોગમુદ્રામાં સ્થિત એવી સૌન્દર્યના સરોવર જેવી પ્રતિમાનું ધ્યાન નિર્મળ ચિત્ત અને પ્રસન્નમનથી કરવાનું હોય છે. એક વાત સ્મૃતિની દીવાલ પર કોતરી રાખજો ઃ
- વીતરાગનું ધ્યાન કરવાથી વીતરાગ બની જવાય છે. – ધ્યાન કરનાર સાધક વીતરાગતાને પ્રાપ્ત કરે છે.
– રાગીનું ધ્યાન કરશો તો તમે રાગી બનશો. જેનું ધ્યાન કરશો એવા બનશો. તમારે શું થયું છે? કેવા બનવું છે? એનો નિર્ણય સ્પષ્ટરૂપે કરી લેજો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org