________________
ભાગ ૩
૧૨૧
હવે કયાં કાર્યની સાધનામાં ૐ ને કયા વર્ણમાં જોવો જોઈએ (ધ્યાન સમયે જોવાની વાત છે) એ વાત સમજીએ.
સ્તંભનકાર્યમાં પીતવર્ણમાં ૐ નું ધ્યાન કરવું જોઈએ.
- વશીકરણમાં લાલ વર્ણમાં ૐ નું ધ્યાન કરવું જોઈએ.
-
ક્ષોભ પેદા કરવાનાં કાર્યમાં પરવાળાના રંગમાં ૐ નું ધ્યાન ધરવાનું હોય છે.
-
—
– દ્વેષમાં કૃષ્ણ-કાળા વર્ણમાં ૐ નું ધ્યાન કરવું જોઈએ.
-
કર્મનાશ કરવામાં ચંદ્ર સમાન ઉજ્વલ વર્ણમાં ૐ નું ધ્યાન કરવાનું હોય છે. ૐ ને અનુલક્ષીને આત્મવિકાસ માટે ગતિશીલ રહેવાનું છે. આ ધ્યાનમાં અનેક પ્રકારની શક્તિઓ અને આત્મબળ સંગ્રહિત થાય છે. સાથે સાથે કર્મોનો ક્ષય પણ થાય છે.
પંચપરમેષ્ઠિનું ધ્યાન :
હવે એક વિશિષ્ટ પ્રકારના ધ્યાનની પ્રક્રિયા અંગે જાણી લઈએ, એ ધ્યાન છે પંચપરમેષ્ઠિ ભગવંતોનું ! નમસ્કાર મહામંત્રનું ધ્યાન ! ધ્યાનની વાતો છે માટે ધ્યાનથી સાંભળજો. બેધ્યાન બનશો તો નહીં ચાલે. આ વિષય કદાચ તમારા માટે નવો પણ હોય !
સૌપ્રથમ તમારે હ્દયમાં આઠ પાંખડીવાળા કમળની સ્થાપના કરવાની છે. એ કમળની કણિકાના મધ્યમાં ‘નમો અરિહંતાણં' પદનું ધ્યાન ક૨વાનું છે. ત્યારબાદ ચારે દિશાઓમાં ચાર પાંદડાઓ ઉપર ક્રમશઃ ‘નોસિદ્ધાણં,' ‘નમો આયરિયાણં', ‘નમો ઉવજ્ઝાયાણં’ અને ‘નમો લોએ સવ્વ સાહૂણં’ નું ધ્યાન કરવામાં આવે છે. ચાર વિદિશાઓમાં અનુક્રમે ‘એસો પંચ નમુક્કારો,' ‘સવ્વ પાવપ્પણાસણો, ‘મંગલાણં ચ સવ્વેસિ’ પઢમં હવઈ મંગલ'નું ધ્યાન કરવાનું હોય છે.
જ્યારે ‘નવપદ’નું ધ્યાન કરવાનું હોય ત્યારે ચાર વિદિશામાં ‘સમ્યગ્દર્શનાય નમઃ’, ‘સમ્યજ્ઞાનાય નમઃ’, ‘સભ્યશ્ચારિત્રાય નમઃ’, ‘સમ્યગ્ તપસે નમઃ’ આ પ્રમાણે સ્મરણ-ધ્યાન કરવું જોઈએ. અન્ય મંત્રપદોનું ધ્યાન
આ સિવાય પણ બીજા કેટલાક એવા મંત્રો છે, જેનું નિત્ય જાપ-ધ્યાન કરવાથી મનોવ્યથાઓ વિરામ પામે છે. કષ્ટો અને સંકટો ટળે છે. કર્માશ્રવોનો સંવર થાય છે. થોડાક મંત્રો હું અહીં તમને બતાવું છું. આ મંત્રો ‘યોગશાસ્ત્ર’ અને ‘જ્ઞાનાર્ણવ’ ગ્રંથમાં ઉપલબ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org