SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ ભાગ ૩ પિંડસ્થ આલંબનનું ધ્યાનઃ પિંડ એટલે શરીર. શરીરના જુદા ભાગો - અવયવો ઉપર મનને કેન્દ્રિત કરવાનું છે. યોગશાસ્ત્રમાં કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવંત શ્રી હેમચંદ્રસૂરિજીએ, શરીરમાં પાંચ ધારણાઓ દર્શાવી છે : पार्थिवी स्यादथाग्नेयी मारुति वारुणी तथा तत्त्वभूः पंचमी चेति पिंडस्थे पंच धारणा ॥७/९।। ૧. પાર્થિવી ધારણા ૨. આગ્નેયી ધારણા ૩. મારુતિ ધારણા ૪. વારુણી ધારણા ૫. તત્ત્વવતી ધારણા. આ પાંચ ધારણાઓમાં મનને સ્થિર કરતા કરતા આત્મા ઉપર સ્થિર બનવાનું છે. એક એક ધારણા કઈ રીતે કરી શકાય, એ સંદર્ભમાં થોડુંક તમને સમજાવી દઉં ! પહેલી પાર્થિવી ધારણા તમે ચિંતનની ભીતરી દુનિયામાં પહોંચી જાઓ નિઃશબ્દ, કલ્લોલરહિત, તરંગોના ઉછાળાથી રહિત શ્વેત ક્ષીરસમુદ્ર છે. એમાં એક લાખ યોજનાનું એક કમળ છે. એની એક હજાર પાંખડીઓ છે. એ કમળના મધ્યમાં અનેક કેસરો ખીલેલા છે. એ કેસરોની મધ્યમાં એક લાખ યોજન ઊંચી તેજસ્વી અને ઉર્જસ્વી કણિકા છે. એ કર્ણિકા ઉપર એક સિંહાસન ઉપર આત્મા (તમારો પોતાનો આત્મા) આસનસ્થ છે. એ આત્મા કર્મક્ષય કરવા માટે ચિંતન કરે છે. હું તમામ રાગદ્વેષ વગેરે કર્મોનો ક્ષય કરવા માટે સક્ષમ છું !” બીજી છે આગ્નેયી ધારણા આ ધારણામાં તમારે તમારા નાભિમંડળની આજુબાજુ સોળ પાંખડીઓવાળા કમળનું ધ્યાન કરવાનું છે. કમળની કર્ણિકા ઉપર “અહમહામંત્રની સ્થાપના કરીને એ સોળ પાંખડીઓમાં સોળ સ્વરોની સ્થાપના કરવાની છે. આ પ્રમાણે સ્થાપના કરીને, કલ્પના કરો કે “અહં મહામંત્રથી ધૂમ્રસેરો ઉપર ઊઠી રહી છે. ઊજને ફેલાવતી જ્વાળાઓ ઉપર ઊઠી રહી છે. આના પછી હૃદયમાં આઠ પાંખડીવાળા નિમ્નમુખી કમળની કલ્પના કરો. આઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy