________________
૧૧૬
શ્રાવકજીવન ઉપયુક્ત અર્થજ્ઞાન ન હોવા છતાં પણ, શ્રદ્ધા-સંવેગ વગેરે ભાવોલ્લાસ સાથે સાંભળવાથી મિથ્યાત્વ મોહનીય' વગેરે પાપકર્મો નિમૂળ બની જાય છે. આ વાત યોગનિષ્પન્ન જિનેશ્વર ભગવંતોએ અને પરમજ્ઞાની ગણધર ભગવંતોએ કહેલી છે.
ગ્રંથકારે યોગનો કેવો યથાર્થ મહિમા બતાવ્યો છે! “ધર્મબિંદુ અને “યોગબિંદુ ગ્રંથના કત શ્રી હરિભદ્રસૂરિજી જ છે. એમણે યોગને અનુલક્ષીને યોગદ્રષ્ટિ સમુચ્ચય', યોગવિંશિકા', યોગશતક', ષોડશક પ્રકરણ વગેરે ગ્રંથોનું સર્જન પણ કર્યું છે. સાલંબનયોગઃ નિરાલંબનયોગ :
ધર્મબિંદુ ગ્રંથના ટીકાકાર આચાર્યશ્રી પ્રસ્તુત યોગાભ્યાસઃ સૂત્રની ટીકામાં સાલંબન અને નિરાલંબન આમ બે પ્રકારના યોગોનો નિર્દેશ કરેલા છે. એના અનુસંધાનમાં ષોડશકની નિમ્ન ગાથાને ઉદ્ધરિત પણ કરી છે :
सालम्बनो निरालम्बश्चः योगः परो द्विधा ज्ञेयः । जिनरूप-ध्यानं खल्वाद्यः तत् तत्त्वगस्तु अपरः ॥१३३।।
જે આલંબનયુક્ત હોય છે તે સાલંબન કહેવાય છે. આ યોગમાં સાધક બાહ્ય સાધનોને ધ્યેય માનીને ધ્યાનની ક્રિયા કરે છે. મનને એકાગ્ર-સ્થિર અને નિશ્ચલ બનાવવા માટે આ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. અહીં બાહ્ય સાધન બાહ્ય ધ્યેયરૂપે જિનેશ્વર પરમાત્માની વિવિધ અવસ્થાઓનું ધ્યાન કરવામાં આવે છે. અલબત્ત, આ ધ્યાનનો સમાવેશ રૂપસ્થ ધ્યાન” તરીકે કરાવાયો છે. યોગશાસ્ત્રમાં કહ્યું છે : મતો પમાયે ધ્યાને પશુપુતે ॥
પણ આજે તો હું તમને ચારે જાતના આલંબનો અંગે થોડીક મહત્ત્વની વાતો બતાવવા માગું છું. જે વાતો સાલંબનયોગને સમજવા અને પ્રયોગરૂપે અજમાવવા માટે આવશ્યક છે.
આલંબનના ચાર પ્રકાર આ પ્રમાણે છે : ૧. પિંડસ્થ, ૨. પદસ્થ, ૩. રૂપસ્થ. ૪. રૂપાતીત. પહેલા આપણે પિંડસ્થ આલંબનને સમજવાનો પ્રયત્ન કરીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org