________________
શ્રાવકજીવન
૧૧૪ વિકાસ સાધવાના સાધન તરીકે સ્વીકારવામાં આવ્યો છે. અંતિમ લક્ષ્ય = મુક્તિ :
ભારતીય દર્શનોમાં અંતિમ ઉદ્દેશ્ય છે મુક્તિની પ્રાપ્તિ ! નામરૂપ જુજવાની જેમ નામોમાં ભેદ અવશ્ય મળશે. પણ ભાવની ભૂમિકા બધાની ભેદવિહીન છે. આ જ ગ્રંથકારે એક બીજી જગ્યાએ લખ્યું છે : ન હિ નામમાત્રામેન માવા fમત્તે | નામો જુદા પડવાથી ભાવોમાં કોઈ ફેરફાર થતો નથી. યોગદર્શન જેને કૈવલ્ય કહે છે, બૌદ્ધદર્શન જેને નિર્વાણની સંજ્ઞા આપે છે, જૈનદર્શન અને જ મોક્ષ કહે છે. અર્થની વૃષ્ટિએ જોવા જઈએ તો આ બધા શબ્દો સમાનાર્થી જ છે.
ભિન્ન ભિન્ન ધર્મો અને દર્શનોના માર્ગ જુદા જુદા હોવા છતાં પણ ફલિતાર્થ દરેકનો સરખો જ છે. એક વસ્તુ સ્પષ્ટ છે કે ચિત્તવૃત્તિઓની એકાગ્રતા સાધ્યા વગર ન તો મોક્ષમાર્ગની આરાધના કરી શકાય છે કે ન આત્મલીનતા સાધી શકાય છે. એટલા માટે ચંચળ, અસ્થિર મનોવૃત્તિઓને રોકવી, એના પર અનુશાસન કરવું. આ ઉદ્દેશ્યને તમામ ધર્મો, તમામ દર્શનો સ્વીકારે છે. જેનદર્શનમાં યોગ :
જૈનધર્મ-દર્શનમાં મન-વચન-કાયાની ક્રિયાઓનો નિરોધ એ સંવર છે અને એ જ યોગ છે.
– આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી કહે છેઃ યોગ મોક્ષને મેળવી આપનાર છે અર્થાત્ મોક્ષ સાથે આત્માને જોડનાર છે. યોગવિંશિકા'માં કહેવામાં આવ્યું છેઃ
मोक्खेण जोयणाओ जोगो । – આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીએ કહ્યું છે : મોક્ષના ઉપાયરૂપ યોગ છે જ્ઞાનશ્રદ્ધા અને ચારિત્રસ્વરૂપ. અભિધાન ચિંતામણિમાં એમણે આ જ પરિભાષા આપી છે : મોક્ષે યો યોગો જ્ઞાનશ્રદ્ધાનેરામવીર !
– ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે ? આત્માને મોક્ષ સાથે જોડનાર હોવાથી યોગ કહેવાય છે. થોડાક્ષ ત્રિશિાં એમણે જણાવ્યું છે મોક્ષેપ योजनादेवं हत्यत्र निरुच्यते ।'
આ પ્રમાણે જૈનદર્શનમાં યોગનો અર્થ ચિત્તવૃત્તિનિરોધ અને મોક્ષપ્રાપક ધર્મપ્રવૃત્તિ છે. “યોગ' શબ્દથી એ જ ક્રિયા અથવા પ્રવૃત્તિ-વ્યાપાર સમજવી જોઈએ કે જે મોક્ષ માટે અનુકૂળ હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org