________________
(પ્રવચન : પ૮)
પરમ કૃપાનિધિ, મહાન મૃતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી મહારાજે સ્વરચિત “ધર્મબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવક ધર્મનું નિરૂપણ કર્યું છે. એમાં શ્રાવકની દિનચર્યા અંગે વિશદ માર્ગદર્શન આપ્યું છે. સંધ્યાકાલીન ત્રણ પ્રકારની આરાધના બતાવી છે અને સાથે સાથે સાધુપુરુષોની સેવાભક્તિ-વિશ્રામણા કરવાની વાત કરી છે. તે પછી કહ્યું :
તથા યોગાભ્યાસઃ પાટવા યોગાભ્યાસ કરવાનો છે ?
વિશ્રામણા કરીને ઘેર આવ્યા પછી એણે યોગાભ્યાસ કરવાનો છે. હા, તમારે ગૃહસ્થ લોકો માટે યોગાભ્યાસની વાત કરી રહ્યા છે આચાર્યશ્રી ! પણ આ યોગાભ્યાસ એટલે યોગાસનો કે શરીરની કસરતરૂપ નથી ! આ યોગાભ્યાસ ક્રિયાત્મક નથી, પણ અનુશીલનરૂપ છે. આજે મારે તમને પ્રસ્તુત યોગના વિષયમાં જ સમજાવવું છે.
સૌપ્રથમ હું તમને યોગ' શબ્દની પરિભાષાથી પરિચિત કરાવી દઉં! સંસ્કૃત ભાષામાં પુન ધાતુ બે અર્થમાં - બે સંદર્ભમાં વપરાય છે. એકનો અર્થ છે જોડવું, સંયોજિત કરવું અને બીજાનો અર્થ છે સમાધિ, મનની સ્થિરતા ! યોગ શબ્દ આ યુગ ધાતુ પરથી બન્યો છે. સામાન્ય રીતે યોગનો અર્થ સંબંધ કરવો તથા મનની સ્થિરતા થાય છે. યોગ બધા જ ધમ અને દર્શનોમાં સ્વીકત છેઃ
યોગવિદ્યા જ એક એવી વિદ્યા છે કે જે પ્રાયઃ બધા જ ધર્મ અને દર્શનોમાં સ્વીકૃત છે – માન્ય છે. આ એક એવા પ્રકારની આધ્યાત્મિક સાધના છે કે જેને કોઈ પણ માણસ જાત-પાત, વર્ણનાત કે સંપ્રદાયના ભેદભાવ વગર સ્વીકારી શકે છે. ભારતીય ધમના અધ્યયનથી,અવલોકનથી બહુ સ્પષ્ટપણે જાણવા મળે છે કે યોગપ્રણાલી આપણે ત્યાં હજારો વર્ષોથી અવિચ્છિન્નપણે ચાલી આવે છે. કારણ કે ભારતીય સંસ્કૃતિ જીવનના ચરમ લક્ષ્ય તરીકે મુક્તિને સ્વીકારે છે. એ મુક્તિ માટે અનિવાર્ય સાધન છે આ યોગ !
જેમ ચિકિત્સાશાસ્ત્રમાં રોગ, રોગનું કારણ, આરોગ્ય, આરોગ્યનું કારણ... આમ ચતુર્વ્યૂહમાં રોગનો ઉપચાર કરવામાં આવે છે – એવી જ રીતે યોગશાસ્ત્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org